આજે વડોદરામાં પાણીની લાઈનમાં ભંગાણ, 3 લાખ લોકોને નહીં મળે પાણી

વડોદરાના દક્ષિણ અને પૂર્વ વિસ્તારના 3 લાખ લોકોને આજે પાણી મળશે નહીં. સોમા તળાવ પાસે 3 વર્ષ પહેલા જ વરસાદી કાંસમાં નાખેલી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. જેના કારણે 4 ટાંકી અને 2 બુસ્ટર વિસ્તારમાં પાણી મળશે નહીં. બાપોદ, તરસાલી, જી.આઈ.ડી.સી, સોમાં તળાવ, કપુરાઈ, વિસ્તાર માં 30 એમ.એલ.ડી પાણી મળશે નહીં. 9 દીવસ બાદ કોર્પોરેશનની ટિમને લીકેજ મળ્યું.

Trending news