રખડતા પશુઓના ગોબરમાંથી કમાણી કરશે અમદાવાદ મહાનગર પાલિકા, બનાવ્યો પ્લાન

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં રખડતા પશુઓને પકડી લેવામાં આવે છે. જો પશુ માલિક આ પશુ છોડાવવા ન આવે તો તેને ઢોરવાડામાં રાખવામાં આવે છે. એએમસીના ઢોરવાડમાં અત્યારે 1600 જેટલા પશુઓ છે, હવે આ પશુઓના ગોબરમાંથી મનપાએ કમાણીનો પ્લાન બનાવ્યો છે.
 

રખડતા પશુઓના ગોબરમાંથી કમાણી કરશે અમદાવાદ મહાનગર પાલિકા, બનાવ્યો પ્લાન

અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકાએ હવે કમાણી માટે એક નવો રસ્તો શોધી લીધો છે. અમદાવાદ પાલિકા હવે પશુઓના છાણમાંથી કમાણી કરશે. આ માટે પાલિકાએ પ્લાન પણ બનાવ્યો છે.  amc ઢોરવાડામાં રહેલા પશુઓના છાણમાંથી સ્ટિક, છાણા, કોડિયા બનાવી તેનુ બજારમાં વેચાણ કરશે. શહેરમાંથી પકડાયેલા રખડતા ઢોરને જે તે પશુ માલિક છોડાવવા નથી, તેનો નિભાવ અને દેખરેખ મનપા કરે છે ત્યારે આ પશુઓના છાણને વેસ્ટ માંથી બેસ્ટ બનાવી માર્કેટ માં વેચવાનો નિર્ણય કરાયો છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કપરપોરેશનના દાણીલીમડા અને બાકરોલ ઢોરવાડામાં લગભગ 1600થી વધુ પશુઓ છે, જેનાથી દરરોજ લગભગ 8 ટન જેટલું છાણ એકત્ર થાય છે. તેને છાણ માંથી મશીન વડે છાણ સ્ટીક , છાણની ટીકી , દીવા કરવા માટે કોડિયાં બનાવમાં આવી રહ્યા છે. નોંધનીય છે કે amcના સ્મશાનમાં જ્યા લાકડાનો ઉપયોગ થાય છે ત્યાં હવે આ કાઉ ડંગ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવશે. 

Add Zee News as a Preferred Source

તો વૈદિક હોળી માટે પણ આ કાઉ ડંગ ટીકી અને સ્ટીકનો ઉપયોગ કરી શકાશે. અત્યાર સુધી amc દ્વારા આ વસ્તુઓનો પોતાના સ્મશાન અને વિવિધ મંદિરોમાં દાન આપી વિનામૂલ્યે વપરાશ કરાઈ રહ્યો છે. હવે આ વસ્તુઓના ભાવ નક્કી કરી આગામી સમયમાં ઓપન માર્કેટમાં વેચાણ અર્થે મુકવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news