પાપડ બાદ હવે પરાઠા પર વિવાદ : ગુજરાત AAR નો નિર્ણય, Ready To Cook પરાઠા પર લાગશે 18% GST

થોડા દિવસો પહેલા પાપડ પર GST ને લઈને વિવાદ છંછેડાયો હતો. હવે પરાઠા (Paratha) ને લઈને નવો વિવાદ ઉઠ્યો છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR) ની ગુજરાત બેન્ચે નિર્ણય આપ્યો કે, પરાઠા પર 18 ટકા જીએસટી લાગશે. 

પાપડ બાદ હવે પરાઠા પર વિવાદ : ગુજરાત AAR નો નિર્ણય, Ready To Cook પરાઠા પર લાગશે 18% GST

ઝી મીડિયા/બ્યૂરો :થોડા દિવસો પહેલા પાપડ પર GST ને લઈને વિવાદ છંછેડાયો હતો. હવે પરાઠા (Paratha) ને લઈને નવો વિવાદ ઉઠ્યો છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR) ની ગુજરાત બેન્ચે નિર્ણય આપ્યો કે, પરાઠા પર 18 ટકા જીએસટી લાગશે. 

પરાઠા પર 18% જીએસટી, રોટલી પર 5% 
તમને જણાવી દઈએ કે, રોટલી 5% GST સ્લેબના લિસ્ટમાં છે. પરંતુ પરાઠા હવે 18% સ્લેબમાં આવી ગયા છે. જેને લઈને નવો વિવાદ છંછેડાયો છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR) ની ગુજરાત બેન્ચે સ્પષ્ટ કર્યું કે, રેડી ટુ કુક પરાઠા પર 18% ના દરે જીએસટી લાગશે. 

વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝની દલીલ
બ્રાન્ડેડ પરાઠા બનાવનારી ગુજરાતની કંપની વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝે (Vadilal Industries) દલીલ કરી હતી કે, તમામ પ્રકારના પરાઠા, ખાખરા અને રોટલી પર 5 ટકા જીએસટી લાગવુ જોઈએ. કેમ કે, ચપાતી, રોટલી અને પરાઠામાં બહુ જ સમાનતા છે. તેને બનાવવાની પ્રક્રિયાથી લઈને તેને ઉપયોગ કરવાની પ્રોસેસ એક જેવી જ છે. પોતાની દલીલને વજન આપવા માટે વાડીલાલે અનેક અંગ્રેજી શબ્દકોષ અને વિકીપીડિયાથી પરાઠા શબ્દની પરિભાષા કરી. કેમ કે તે તેના અંતર્ગત જીએસટી કાયદા અને નિયમોમાં પરિભાષિત નથી. 

ગુજરાત AAR નો જવાબ
વાડીલાલની આ દલીલો સાંભળ્યા બાદ ગુજરાત AAR એ કહ્યું કે, ખાખરા, સાદી રોટલી પકાવેલી હોય છે અને તેને ખાવા માટે ફરીથી પકાવવાની જરૂર નથી પડતી. તે ખાવા માટે તૈયાર હોય છે. બીજી તરફ, કંપની દ્વારા સપ્લાય કરવામાં આવનાર પરાઠા તેનાથી અલગ છે. કારણ કે, તેને ખાવાલાયક બનાવવા માટે અને પ્રોસિસંગ કરવાની જરૂર પડે છે. એટલે કે, રોટલી Ready To Eat છે, જ્યારે કે પરાઠા Ready To Cook છે. 

रोटी पर 5% लेकिन पराठे पर 18% लगेगा GST, गुजरात AAR ने समझाया ऐसा क्यों?
 
ઓથોરિટીએ કહ્યું કે, વાડીલાલે પોતાના પેકેટ્સ પર લખેલા નિર્દેશોમાં લખ્યુ છે કે, તેને 3 થી 4 મિનિટ સુધી મધ્યમ આંચ પર ગરમ કરાય છે. સાથે જ પરાઠાને ગરમ કરવા દરમિયાન તેને વધુ ટેસ્ટી તથા કુરકુરા બનાવવા માટે તેલ કે બટર મિક્સ કરવું. ઓથોરિટીએ સાથે જ લોટના કમ્પોઝિશનના આધાર પર રોટલી અને પરાઠાનું અંતર સ્પષ્ટ કર્યુ હતું. પરાઠામાં લોટની માત્રા 36 થી 62 ટકા હોય છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા કર્ણાટક ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ AAR એ પણ આ નિર્ણય આપ્યો હતો કે, પરાઠા પર 18 ટકા જીએસટી લાગશે.

પાપડ પર જીએસટી નહિ
આ પહેલા પાપડને લઈને વિવાદ સળગ્યો હતો. ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ AAR બેન્ચે કહ્યુ હતું કે, પાપડ પર કોઈ પ્રકારની જીએસટી નહિ લાગે. એટલે કે પાપડ પર જીએસટીનો દર શૂન્ય રહેશે. બેન્ચે કહ્યું કે, પાપડ પહેલા હાથથી બનાવવામાં આવતા હતા, અને તેનો આકાર ગોળ હતો. હવે પાપડ અલગ અલગ પ્રકાર અને આકારમાં બનાવવામાં આવે છે. ગુજરાત બેન્ચે કહ્યું કે, અલગ અલગ પાપડ બનાવવાની જ્યાં સુધી વાત છે, તો કાચા માલમાં તે એકજેવુ છે. તેને બનાવવાની અને ઉપયોગની રીત પણ એક છે. તેથી પાપડને HSN 19059040 કેટેગરીમાં રાખવામાં આવે અને તેના પર કોઈ જીએસટી નહિ લાગે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news