Loan After Death: લોન લીધા બાદ દેવાદારનું મૃત્યુ થાય તો, બેંક વારસદાર પાસે પૈસા વસૂલી શકે કે નહીં?

આજકાલ ગણ્યાગાંઠ્યા લોકો એવા છે જે બેંકમાંથી કોઈ પણ પ્રકારની લોન નથી લેતા અને લે પણ કેમ નહીં, બેંક ઓછા વ્યાજ દરે લોનની સુવિધા આપે છે. આવી સ્થિતિમાં લોકો તેમની જરૂરિયાત મુજબ હોમ લોન, ઓટો લોન લે છે. મોબાઈલ ફાઈનાન્સ જેવું લોન માર્કેટ પણ આજે ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો લોન લેનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ જાય તો આ સ્થિતિમાં બેંક કોની પાસેથી લોનની રકમ વસૂલ કરે છે? સૌથી મોટી વાત એ છે કે શું તમામ પ્રકારની લોન ચૂકવવી જરૂરી છે? કઈ શરતો હેઠળ બેંકને લોન લેનારના વારસદારો પાસેથી નાણાં વસૂલ કરવાનો અધિકાર છે? ચાલો જાણીએ આ સવાલોના જવાબ.

Loan After Death: લોન લીધા બાદ દેવાદારનું મૃત્યુ થાય તો, બેંક વારસદાર પાસે પૈસા વસૂલી શકે કે નહીં?

Home Loan After Death: આજકાલ ગણ્યાગાંઠ્યા લોકો એવા છે જે બેંકમાંથી કોઈ પણ પ્રકારની લોન નથી લેતા અને લે પણ કેમ નહીં, બેંક ઓછા વ્યાજ દરે લોનની સુવિધા આપે છે. આવી સ્થિતિમાં લોકો તેમની જરૂરિયાત મુજબ હોમ લોન, ઓટો લોન લે છે. મોબાઈલ ફાઈનાન્સ જેવું લોન માર્કેટ પણ આજે ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો લોન લેનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ જાય તો આ સ્થિતિમાં બેંક કોની પાસેથી લોનની રકમ વસૂલ કરે છે? સૌથી મોટી વાત એ છે કે શું તમામ પ્રકારની લોન ચૂકવવી જરૂરી છે? કઈ શરતો હેઠળ બેંકને લોન લેનારના વારસદારો પાસેથી નાણાં વસૂલ કરવાનો અધિકાર છે? ચાલો જાણીએ આ સવાલોના જવાબ.

કાર લોન, ઓટો લોન કે બાઈક લોન (Car Loan Rules, Bike Loan Rules after Death):
જો ઓટો લોન લેનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ જાય તો આ લોનની ચુકવણીની જવાબદારી પરિવારની રહેશે. આવી સ્થિતિમાં બેંક પરિવારના સભ્યોને લોન ચૂકવવા માટે કહી શકે છે. જો પરિવાર આ લોનની ચુકવણી ન કરે તો બેંક વાહનનો કબજો લઈ લે છે અને વાહનની હરાજી કરીને તેની લોન વસૂલ કરે છે.

હોમ લોન (Home Loan Rule After Death):
જો કોઈ વ્યક્તિ જોઈન્ટ હોમ લોન લે છે અને તેમાંથી પ્રાઈમરી અરજદાર મૃત્યુ પામે છે, તો લોનની ચૂકવણીની સંપૂર્ણ જવાબદારી અન્ય સહ-અરજદાર પર આવે છે. જો બીજો અરજદાર પણ લોનની ચુકવણી ન કરે, તો બેંકને સિવિલ કોર્ટ, ડેટ રિકવરી ટ્રિબ્યુનલ અથવા SARFAESI એક્ટમાંથી લોનની વસૂલાત કરવાનો અધિકાર છે. તમને જણાવી દઈએ કે, આ સ્થિતિમાં, બેંક મિલકતનો કબજો લે છે અને તેને વેચીને તેની લોન વસૂલ કરે છે. જો કે, બેંક પરિવારના સભ્યોને થોડી રાહત આપે છે, જો પરિવારના સભ્યો લોનની બાકી રકમ નિર્ધારિત મર્યાદામાં જમા કરાવે છે, તો ઘરની હરાજી કરવામાં આવતી નથી.

 

પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ (Personal Loan After Death, Credit Card Bill After Death):
પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ બંને અનસિક્યોર્ડ લોન અથવા બાકી લેણાં છે, જો કોઈ વ્યક્તિ પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવ્યા વિના મૃત્યુ પામે છે, તો બેંક તેના પરિવાર અથવા કાનૂની વારસદારો પાસેથી લોન વસૂલ કરી શકશે નહીં કારણકે આ બંને અનસિક્યોર્ડ લોન છે. આ કેસોમાં મિલકત પણ જપ્ત કરવામાં આવતી નથી. આ કારણે બેંકો પણ આવા ખાતાઓને રાઈટ ઓફ કરે છે, એટલે કે આ લોન ખાતાઓને NPA તરીકે ગણવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news