Prepaid Phone ધારકો માટે રાહતના સમાચાર! ગ્રાહકો સરળતાથી રિચાર્જ કરી શકે તે માટે RBI ની મોટી જાહેરાત

દેશ અને દુનિયાભરમાં હવે મોટાભાગના તમામ લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા થયા છે. આ સ્થિતિમાં ભારતમાં પોસ્ટ પેઈડની સરખામણીએ હજુ પણ પ્રિ-પેઈડ ગ્રાહકોની સંખ્યા વધારે છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આવા કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે.

Prepaid Phone ધારકો માટે રાહતના સમાચાર! ગ્રાહકો સરળતાથી રિચાર્જ કરી શકે તે માટે RBI ની મોટી જાહેરાત

નવી દિલ્લીઃ દેશ અને દુનિયાભરમાં હવે મોટાભાગના તમામ લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા થયા છે. આ સ્થિતિમાં ભારતમાં પોસ્ટ પેઈડની સરખામણીએ હજુ પણ પ્રિ-પેઈડ ગ્રાહકોની સંખ્યા ખુબ જ વધારે છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આવા કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે.

આ BBPS શું છે?
BBPS એ બિલ ચુકવણીની એકીકૃત સિસ્ટમ છે, જે ગ્રાહકોને ઓનલાઇન તેમજ એજન્ટોના નેટવર્ક દ્વારા ઓફલાઇન બિલ ચુકવણીની સેવા પ્રદાન કરે છે. BBPS એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) હેઠળ કાર્ય કરે છે.

RBI એ શું કહ્યું?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ કહ્યું હતું કે, ભારત બિલ ચુકવણી સિસ્ટમ (BBPS) ના અવકાશને વિસ્તૃત કરતા તેમાં બિલર તરીકે મોબાઇલ પ્રી-પેઇડ રિચાર્જની (Mobile prepaid recharge) સુવિધા પણ ઉમેરવામાં આવશે. તેનાથી દેશમાં પ્રિ-પેઇડ ફોન સર્વિસના કરોડો યુઝર્સને મદદ મળશે. ઉલ્લેખનીય છેકે, સપ્ટેમ્બર 2019 માં BBPS ના કાર્યક્ષેત્ર અને અવકાશને વિસ્તૃત કરવા, તેના ભાગ રૂપે પાત્ર સહભાગીઓ તરીકે (મોબાઇલ પ્રીપેઇડ રિચાર્જ સિવાય) તમામ કેટેગરીના બિલર્સ ઉમેરવામાં આવ્યા હતા.

કેમ ભારતીય સ્ત્રીઓ પહેરે છે નાકમાં નથણી? જાણો માન્યતાથી લઈ ફેશન બન્યા સુધીની નથણીની કહાની

પહેલાં શું નિયમ હતો?
પહેલા BBPS દ્વારા બીલ ભરવાની સુવિધા ફક્ત પાંચ સેગમેન્ટમાં ઉપલબ્ધ હતી. જેમાં ડાયરેક્ટ ટુ હોમ (DTH), વીજળી, ગેસ, ટેલિકોમ અને પાણીનો સમાવેશ થાય છે. એક પરિપત્રમાં રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, વિવિધ બિલર કેટેગરીમાં નિયમિત વધારા સાથે મોબાઇલ પ્રી-પેઇડ ગ્રાહકોને રિચાર્જ માટે વધુ વિકલ્પો પ્રદાન કરવાના વિચાર સાથે, BBPS ની બિલર કેટેગરીમાં ‘મોબાઇલ પ્રીપેઇડ રીચાર્જ’ નો સમાવેશ કરવામાં આવશે.

ભારતમાં પ્રિ-પેઈડ ફોન સેવાના 110 કરોડથી વધુ યુઝર્સઃ
ભારતમાં ડિસેમ્બર 2020 સુધીમાં પ્રિપેઇડ ફોન સેવાના 110 કરોડ યુઝર્સ હતા. જેમાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી એ ગ્રાહકોની કેર લેવી એ સૌથી જરૂરી છે. રિઝર્વ બેંકે કહ્યું કે તેનો અમલ 31 ઓગસ્ટ અથવા તે પહેલાં કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news