અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવનાર અભિનેત્રી પાયલ ઘોષની રાજકારણમાં એન્ટ્રી

બોલીવુડ (Bollywood)ના ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર યૌન શોષણનો આરોપ લગાવનાર અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh) ફરી એકવાર ચર્ચામાં છે.

અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવનાર અભિનેત્રી પાયલ ઘોષની રાજકારણમાં એન્ટ્રી

નવી દિલ્હી: બોલીવુડ (Bollywood)ના ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર યૌન શોષણનો આરોપ લગાવનાર અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh) ફરી એકવાર ચર્ચામાં છે. પાયલ ઘોષ હવે રાજકારણમાં એન્ટ્રી કરી રહી છે અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયામાં સામેલ થઇ રહી છે. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે (Central Minister Ramdas Aathawale) પોતે પાયલને પાર્ટીમાં સામેલ કરી રહી છે. પાયલ ઘોષની સાથે તેમના વકીલ પણ પાર્ટીમાં જોડાશે. ચર્ચા છે કે પાયલ ઘોષને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (Republican Party of India) ની મહિલા મોરચાનું ઉપાધ્યક્ષ બનાવી શકાય છે. તો બીજી તરફ તેમના વકીલને એડવોકેટ વિંગમાં પદ આપવામાં આવી શકે છે. 

અનુરાગ કશ્યપ પર લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ
અભિનેત્રી પાયલ ઘોષ (Actress Payal Ghosh)એ અભિનેતા અને નિર્દેશક અનુરાગ કશ્યપ  (Anurag Kashyap) પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહી મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશન (Oshiwara Police Station) માં પાયલ ઘોષએ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ અનુરાગ કશ્યપએ આ આરોપને નકારી કાઢ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news