Photos: દીપિકા અને રણવીરે લીધા બાપાના આશીર્વાદ, પહોંચ્યા સિદ્ધિવિનાયક મંદિર

શુક્રવારે દીપિકા અને રણવીર સિંહની જોડી મુંબઈમં દાદર સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિવારજનો પણ હાજર હતા. 

Photos: દીપિકા અને રણવીરે લીધા બાપાના આશીર્વાદ, પહોંચ્યા સિદ્ધિવિનાયક મંદિર

નવી દિલ્હીઃ દીપિકા અને રણવીરના લગ્નમાં અત્યાર સુધીની તમામ ઉજવણીમાં માત્ર તેમના પરિવારજનો અને નજીકના મિત્રો જોવા મળી રહ્યાં હતા. આ જોડી શનિવાર (1 ડિસેમ્બર) બોલીવુડના સિતારો માટે એક ગ્રાન્ડ રિસેપ્શન આપવાના છે, જ્યાં બોલીવુડના લગભગ તમામ મોટા સિતારાની હાજરીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોતાના રિસેપ્શનના એક દિવસ પહેલા આ જોડી પોતાના પરિવારની સાથે ગણપતિ બાપાના દર્શન કરવા માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, બંન્નેના માતા-પિતા અને બહેનો સાથે હતી. 

અત્યાર સુધી એરપોર્ટ પર જોવા મળ્યા કે રિસેપ્શન પર દીપિકા અને રણવીર બંન્ને એક રંગના કપડામાં જોવા મળ્યા છે. આવું શુક્રવારે પણ થયું હતું, જ્યારે આ જોડી ઓફ વાઇટ અને ગોલ્ડન કલરના ડ્રેસમાં જોવા મળી હતી. 
deepika ranveer
ફોટો - ભાવના મુંજાલ

લગ્ન બાદ દીપવીર પ્રથમવાર અહીં આવ્યા અને પરિવાર સાથે ગણેશજીના આશીર્વાદ લીધા. 

deepika ranveer

ફોટો - ભાવના મુંજાલ

મહત્વનું છે કે, દીપિકા પાદુકોમ હંમેશા પોતાની ફિલ્મોના રિલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે જતી હતી. 

deepika ranveer

ફોટો સાભાર - યોગેન શાહ

મહત્વનું છે કે, દીપિકા અને રણવીરનું છેલ્લું રિસેપ્શન 1 ડિસેમ્બરે મુંબઈમાં યોજાવાનું છે. આ રિસેપ્શનમાં બોલીવુડના ઘણા સિતારાઓને આવવાનું અનુમાન છે. આ રિસેપ્શન માટે કેટરીના કેફ, સલમાન ખાન, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, રણવીર કપૂર, સેફ અલી ખાન સહિત બોલીવુડના ઘણા કલાકારો સામેલ થવાનું અનુમાન છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news