બસંતીનું સેટિંગ હતું ઠાકુર જોડે બાજી મારી વીરુએ! હેમાનો હાથ માંગવા ગયો જીતુ! વિદેશ ફરવા લઈ ગયા રાજેશ ખન્ના!

બોલિવુડ એકટર સંજીવ કુમારના જીવન પર બાયોગ્રાફી લખાઈ છે. આ બાયોગ્રાફીમાં તેમના અંગત જીવન અને અફેર વચ્ચે વિસ્તારથી લખવામાં આવ્યું છે. બોલિવુડમાં એવા ઘણા કલાકારો છે જેમની ફિલ્મો અને અભિનયને લોકોએ ખૂબ બિરદાવી પરંતુ અંગત જિંદગી વિવાદમાં રહી હોય. આવા જ અભિનેતા હતા સંજીવકુમાર.

બસંતીનું સેટિંગ હતું ઠાકુર જોડે બાજી મારી વીરુએ! હેમાનો હાથ માંગવા ગયો જીતુ! વિદેશ ફરવા લઈ ગયા રાજેશ ખન્ના!

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલિવુડ એકટર સંજીવ કુમારના જીવન પર બાયોગ્રાફી લખાઈ છે. આ બાયોગ્રાફીમાં તેમના અંગત જીવન અને અફેર વચ્ચે વિસ્તારથી લખવામાં આવ્યું છે. બોલિવુડમાં એવા ઘણા કલાકારો છે જેમની ફિલ્મો અને અભિનયને લોકોએ ખૂબ બિરદાવી પરંતુ અંગત જિંદગી વિવાદમાં રહી હોય. આવા જ અભિનેતા હતા સંજીવકુમાર..

અભિનેતા સંજીવકુમાર એકસમયે હેમા માલિની જોડે લગ્ન કરવા માગતા હતા પરંતુ હેમા માલિની સાથે તેમનો સંબંધ રહ્યો નહીં. હનીફ ઝવેરી અને સુમંત બત્રાએ સંજીવકુમારના જીવન પર બાયોગ્રાફી લખી છે જેમાં તેમના જીવનની મહત્વની ઘટનાઓને આવરી લેવાઈ છે.

No description available.

દિલીપ કુમારે આપ્યો હતો સંજીવ કુમાર પર બાયોગ્રાફી લખવાનો આઈડિયા-
ખાનગી મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં હનીફ અને સુમંતે જણાવ્યુ હતું કે તેમને કોઈપણ ગ્લેમર અને સનસની ન ફેલાય તે હેતુથી સંજીવ કુમારના જીવન પર બાયોગ્રાફી લખી છે. બંનેને સંજીવકુમારની બાયોગ્રાફી લખવાનું સૂચન દિલીપ કુમારે આપ્યુ હતું. દિલીપકુમાર પોતે સંજીવકુમારના અભિનયના મોટા પ્રશંસક રહ્યા હતા.

No description available.

સંજીવ કુમારના પિતાએ કર્યા હતા ત્રણ લગ્ન-
સંજીવકુમારના પિતા જેઠાલાલ જરીવાલાએ એક કે બે નહીં પરંતુ ત્રણ લગ્ન કર્યા હતા. જેઠાલાલે પહેલા લગ્ન શાંતિ સાથે કર્યા જેનાથી તેમને બે દીકરીઓ થઈ. જેઠાલાલે બીજા લગ્ન પણ શાંતિ નામની મહિલા સાથે કર્યા પરંતુ તેનું પણ થોડા દિવસમાં અવસાન થઈ ગયું.  ત્યારબાદ જેઠાલાલ સુરત છોડી મુંબઈ રહેવા લાગ્યા. જેઠાલાલે મુંબઈમાં ઝાવેરબહેન સાથે લગ્ન કર્યા અને તેનાથી તેમને ત્રણ પુત્ર સંજીવ, કિશોર, નિકુલ અને દીકરી ગાયત્રી છે.

સંજીવે સગાઈ કરી પણ તે તૂટી ગઈ-
સંજીવકુમારની સગાઈ હંસા નામની યુવતી સાથે વર્ષ 1954માં થઈ હતી. સંજીવકુમાર તેની સાથે લગ્ન કરવા માગતા ન હતા તેથી તેમણે સગાઈ તોડી દીધી. તે પછી હંસાના બે વાર લગ્ન થયા, સંજીવકુમાર ત્યારે સુપરસ્ટાર હતા અને તેમને ખબર પડી કે હંસા ગરીબીમાંથી પસાર થઈ રહી છે. સંજીવકુમારને વસવસો હતો કે તેમને હંસા સાથે ખોટું કર્યુ હતું.

સંજીવ કુમારના બોલિવુડમાં રહ્યા બે અફેર-
ફિલ્મોમાં સફળ રહ્યા બાદ ઈન્ડસ્ટ્રીમાં સંજીવના બે અફેર રહ્યા. સંજીવકુમારનો પહેલો અફેર અભિનેત્રી નૂતન સાથે રહ્યો હતો. નૂતન પહેલાથી પરણેલી હતી અને તેને પુત્ર પણ હતો. આ અફેર લાંબો સમય ના ચાલ્યો. કહેવાય છે કે એકવખત 'દેવી' ફિલ્મના સેટ પર નૂતને સંજીવકુમારને લાફો ઝીંકી દીધો હતો.

No description available.

હેમા માલિની સાથે થઈ ગયું બ્રેકઅપ-
સંજીવકુમાર અને હેમા માલિની વચ્ચે અફેર રહ્યુ હતું. બાયોગ્રાફી મુજબ એકવાર હેમા માલિની રાજેશ ખન્ના સાથે હોલિવુડની ફિલ્મના પ્રિમીયરમાં જતા રહ્યા હતા. આ વાતથી સંજીવકુમાર નારાજ થયા અને ત્યારબાદ બંને વચ્ચે અંતર આવી ગયું.

હેમા સાથે બ્રેકઅપ બાદ લગ્ન કરવાનું માંડી વાળ્યું-
હેમા માલિની સાથે સંજીવકુમારનું બ્રેકઅપ થઈ ગયું હતું જેથી તેઓ હવે લગ્ન કરવા માગતા નહોંતા. કહેવાય છે કે સુલક્ષણા પંડિતને સંજીવકુમાર સાથે લગ્ન કરવા હતા પરંતુ સંજીવકુમારે મનાઈ કરી દીધી હતી.

ત્યારબાદ હેમા માલિની સાથે ન રહ્યો કોઈ મતલબ-
હેમા માલિની સાથેના બ્રેકઅપ બાદ સંજીવ કુમાર તેનાથી દૂર થઈ ગયા હતા. સંજીવ કુમારને હેમા અને ધર્મેન્દ્રના અફેરની ચર્ચામાં પણ કોઈ રસ નહોંતો. 'શોલે'ના શૂટિંગ દરમિયાન સંજીવ અને હેમા અલગ-અલગ હોટલમાં રહેતા હતા. ફિલ્મમાં બંનેનો એકસાથે કોઈ સીન નહોતો. એવું જ ફિલ્મ 'ત્રિશૂલ'માં થયું હતું જેમાં સંજીવ અને હેમાનો એક પણ સીન નહોતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news