Nitish Bharadwaj: અભિનેતા નીતિશ ભારદ્વાજના અંગત જીવનમાં મહાભારત, આઈએએસ પત્ની વિરુદ્ધ નોંધાવી આવી ફરિયાદ

Nitish Bharadwaj:નીતિશ ભારદ્વાજના પત્ની મધ્યપ્રદેશ કેડરના આઈએએસ અધિકારી છે. તેમને બે જુડવા દીકરીઓ છે જે હાલ સાડા અગિયાર વર્ષની છે અને માતા સ્મિતા સાથે રહે છે. 

Nitish Bharadwaj: અભિનેતા નીતિશ ભારદ્વાજના અંગત જીવનમાં મહાભારત, આઈએએસ પત્ની વિરુદ્ધ નોંધાવી આવી ફરિયાદ

Nitish Bharadwaj: ટીવીની મોસ્ટ પોપ્યુલર સીરીયલ મહાભારતમાં શ્રીકૃષ્ણનું પાત્ર ભજવી અભિનેતા નીતિશ ભારદ્વાજ રાતોરાત ઘરે ઘરમાં પ્રખ્યાત થઈ ગયા હતા. મહાભારત સીરીયલ પછી ઘણા લાંબા સમયથી નીતીશ ભારદ્વાજ લાઈમલાઈટથી દુર હતા. પરંતુ તાજેતરમાં એક વિવાદના કારણે નીતિશ ભારદ્વાજ ફરીથી ચર્ચામાં આવ્યા છે.

એક રિપોર્ટ અનુસાર નીતિશ ભારદ્વાજે તાજેતરમાં જ પોતાની આઈએએસ પત્ની સ્મિતા ભારદ્વાજ વિરુદ્ધ માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. નીતીશ ભારદ્વાજે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની પત્ની સ્મિતા તેમને દીકરીઓને મળવા નથી દેતી. નીતિશ ભારદ્વાજ તેની દીકરીઓથી દૂર રહે તે માટે દીકરીઓની સ્કૂલ વારંવાર બદલે છે. જેના કારણે દીકરીઓ પર પણ ખરાબ અસર થઈ રહી છે. 

નીતિશ ભારદ્વાજે પોલીસને આ અંગે ફરિયાદ કરીને અરજી કરી છે કે તેને દીકરીઓને મળવાની પરવાનગી આપવામાં આવે. નીતિશ ભારદ્વાજ અને તેની પત્ની સ્મિતાએ છૂટાછેડા માટે અરજી પણ કરી છે આ મામલો હાલ પેન્ડિંગ છે. 

જણાવી દઈએ કે નીતિશ ભારદ્વાજે વર્ષ 2008 માં સ્મિતા સાથે લગ્ન કર્યા હતા. નીતિશ ભારદ્વાજ અને સ્મિતા ભારદ્વાજના લગ્ન જીવનમાં દસ વર્ષ પછી સમસ્યાઓ થવા લાગી અને તેમણે છુટાછેડા માટે અરજી કરી. તેમને બે ટ્વીન્સ દીકરીઓ છે.

નીતિશ ભારદ્વાજની પત્ની મધ્યપ્રદેશ કેડરની આઈએએસ અધિકારી છે. તેમને બે જુડવા દીકરીઓ છે જે હાલ સાડા અગિયાર વર્ષની છે અને માતા સ્મિતા સાથે રહે છે. નીતિશ ભારદ્વાજની ફરિયાદ છે કે તેની પત્ની દીકરીઓને તેનાથી દૂર રાખે છે. આ મામલે હવે નીતિશ ભારદ્વાજ પોલીસની મદદ માગી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news