બોની કપૂરે પોતાના ચારેય બાળકો વિશે લઈ લીધો મોટો નિર્ણય

બોની કપૂર બે લગ્નજીવન પછી કુલ ચાર બાળકોના પિતા છે

બોની કપૂરે પોતાના ચારેય બાળકો વિશે લઈ લીધો મોટો નિર્ણય

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના મૃત્યુ પછી બોની કપૂરના ચારેય બાળકો એકબીજાની નજીક આવી ગયા છે. હાલમાં બોની કપૂરની પહેલી પત્ની મોના કપૂરના બાળકો અર્જુન અને અંશુલા એક ઘરમાં રહે છે અને બીજી પત્ની શ્રીદેવીના બાળકો જાન્હવી અને ખુશી બીજા ઘરમાં. જોકે શ્રીદેવીના અવસાન પછી આ ચારેય એકબીજાના ઘરે જોવા મળે છે. હવે માહિતી મળી છે કે બોની કપૂર પોતાના ચારેય બાળકો સાથે એક જ ઘરમાં રહેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. 

બોલિવૂડ હંગામાએ સુત્રોના હવાલાથી લખ્યું છે કે બોની ચારેય બાળકો વચ્ચેનું બોન્ડિંગ જોઈને બધા એક ઘરમાં રહી શકે એવું પ્લાનિંગ કરી રહ્યા છે. મુશ્કેલીની ઘડીમાં જે રીતે આ અર્જુન, અંશુલા, જાન્હવી અને ખુશી એકબીજાને સપોર્ટ આપી રહ્યા છે એ જોઈને બોનીને આ વિચાર આવ્યો છે. જોકે આ પરિવાર કઈ જગ્યાએ એકસાથે રહેશે એ સમસ્યા છે. 

હકીકતમાં જહાન્વી અને ખુશી જ્યાં રહે છે ત્યાં શ્રીદેવીની યાદ વસેલી છે અને અર્જુન-અંશુલા જ્યાં રહે છે ત્યાં મોના કપૂરની યાદગીરી છે. આમ, બંને ઘરો સાથે બાળકોની લાગણી જોડાયેલી છે. આ ભાઈ-બહેનોનું બોન્ડિંગ અનેકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળ્યું છે અને હવે આ સંબંધો ક્યાં સુધી પહોંચે છે એ જાણવું રસપ્રદ સાબિત થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news