2020માં થશે રણબીર-આલિયાના લગ્ન? મળ્યો છે ઇશારો

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે જાહેરમાં એકબીજા પ્રત્યેના પ્રેમનો સ્વીકાર કરી લીધો છે

2020માં થશે રણબીર-આલિયાના લગ્ન? મળ્યો છે ઇશારો

મુંબઈ : આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે જાહેરમાં એકબીજા પ્રત્યેના પ્રેમનો સ્વીકાર કરી લીધો છે જેના પગલે હવે તેમના લગ્નની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આલિયાએ થોડા દિવસ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું બહુ જલ્દી લગ્ન કરવા ઇચ્છુ છું. રણબીરે પણ ટ્વિટર ચેટ પર જલ્દી લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી હતી. હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આલિયા અને રણબીર 2020માં લગ્ન કરી શકે છે. 

મીડિયા રિપોર્ટસ પ્રમાણે રણબીર અને આલિયાના એક નજીકના મિત્રએ કહ્યું છે કે આલિયા અત્યારે તેની કરિયરની ટોચ પર છે અને તે રણબીરને બહુ પ્રેમ કરે છે. બંને એકબીજાની બહુ નજીક છે. આ બંનેના લગ્ન થશે પણ એ 2020 પહેલાં નહીં થાય. આમ, રણબીર અને આલિયા 2020માં લગ્ન કરી શકે છે. આલિયા અને રણબીર છેલ્લા બે-ત્રણ મહિનાથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. બંનેએ ક્યારેય પોતાના સંબંધોને છુપાવ્યા નથી. રણબીરની માતા નીતુને પણ આલિયા બહુ પસંદ છે અને આલિયા પણ રણબીરના પરિવારની નજીક છે. થોડા દિવસ પહેલાં આલિયાને રણબીરના ફેમિલી સાથે ડિનરની મજા માણતી જોવામાં આવી છે. 

રણબીર પણ પોતાના નવા સંબંધની ભરપુર મજા માણી રહ્યો છે અને આ વાતનો આનંદ તેના ચહેરા પર દેખાઈ રહ્યો છે. આ નવા પ્રેમપ્રકરણનો આનંદ આલિયાના ચહેરા પર પણ દેખાઈ રહ્યો છે. રણબીર અને આલિયા બંનેની જોડી પર્ફેક્ટ દેખાઈ રહી છે અને તેના ચાહકો 2020ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news