અરવલ્લી જિલ્લામાં 600 જેટલા તળાવો સુકાભઠ્ઠ, ખેડૂતો માટે પાણીની મોટી સમસ્યા

અરવલ્લી જીલ્લામાં ઉનાળાની શરૂઆત થતાજ જીલ્લામાં આવેલા નાનામોટા 700થી વધુ તળાવો પૈકી 600 જેટલા તળાવો ખાલીબની સુકાભટ્ઠ થઇ ગયા છે.

અરવલ્લી જિલ્લામાં 600 જેટલા તળાવો સુકાભઠ્ઠ, ખેડૂતો માટે પાણીની મોટી સમસ્યા

સમીર બલોચ, અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં ઉનાળાની શરૂઆત થતાજ જીલ્લામાં આવેલા નાનામોટા 700થી વધુ તળાવો પૈકી 600 જેટલા તળાવો ખાલીબની સુકાભટ્ઠ થઇ ગયા છે. જેના કારણે જીલ્લામાં કુવા બોરના પાણીના સ્તર નીચે જતા રહેતા ખેડૂતો માટે પશુપાલન તેમજ સિંચાઈ માટે પાણીની મોટી સમસ્યા ઉભી થઇ છે. સરકાર દ્વારા નર્મદાનું પાણી ઠાલવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

ઉનાળાની શરૂઆત થતાંજ અરવલ્લી જિલ્લામાં પાણીના પોકાર ચાલુ થઈ ગયા છે. જિલ્લામાં પાણીનું જળસ્તર ઊંડું જતું રહેતા વિસ્તારના કુવા બોરમાં પણ પાણી ઊંડે ઉતરી ગયા છે. બીજી બાજુ જિલ્લામાં આવેલા 700 જેટલા નાનામોટા તળાવો પૈકી 90 ટકા તળાવોમાં પાણી સુકાઈ જતા તળાવો સુકા ભઠ્ઠ થઈ ગયા છે. સરકાર દ્વારા જળ સંચય અભિયાન અંતર્ગત જિલ્લાના મોટા સહિત નાના તળાવોને ઊંડા કરવા પાછળ લાખ્ખો રૂપિયા ખર્ચ કરાયો છે. તેમ છતાં આ તળાવો હાલ ખાલી ખમ છે. ત્યારે આગળ કપરો ઉનાળો આવી રહ્યો છે.

સરકાર દ્વારા આ મોટા તળાવોમાં નર્મદાનું પાણી નાખવામાં આવે તો ખેડૂતો માટે ઉપયોગી સાબિત થવાની સાથે જિલ્લાના કુવા બોરમાં પણ પાણી રિચાર્જ થતા પશુધન માટે પણ ઉપયોગી બની શકે. હાલ જિલ્લાના ડેમોમાં પાણીનો પુરવઠો રવિ સિઝન બાદ પીવામાં પહોંચી વળાય તેટલોજ બચ્યો છે. ત્યારે ખેડૂતો માટે સિંચાઈનું પાણી મળી શકે તેમ નથી. જેના કારણે ઉનાળુ ખેતી ઉપર પણ માઠી અસર થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે સરકાર દ્વારા જિલ્લાના ખાલી તળાવો નર્મદાના નિરથી ભરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહયા છે.

સમગ્ર મામલે જીલ્લા અધિક કલેકટર નો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, જીલ્લામાં ગત ચોમાસા દરમિયાન આ તળાવો ભરાયા હતા. પરંતુ સમય જતા પાણી જમીનમાં ઉતારી જવાના કારણે આ તળાવો હાલ ખાલી બન્યા છે. ત્યારે જીલ્લા વહીવટી તંત્ર જીલ્લામાં પાણીની તંગીન સરજાય તે માટે સજ્જ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news