આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત થશે ભવ્ય ઉજવણી, 75 શહેરોમાં યોજાશે અમૃત યાત્રા

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના ૭૫ વિવિધ શહેરો અને નગરોમાં યોજાશે "સાંસ્કૃતિક અમૃત યાત્રા" આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના ૭૫ વિવિધ શહેરો અને નગરોમાં "સાંસ્કૃતિક અમૃત યાત્રા" યોજાશે. ૧૨૫ થી પણ વધુ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો તથા આઝાદી સાથે જોડાયેલા પ્રસંગોને વણી તૈયાર થયેલો અદભુત મલ્ટી મીડિયા શો પણ રજુ થશે. રાજ્ય કક્ષાના કાર્યક્રમોનો પ્રારંભ ગત ૩૦ ડીસેમ્બરે અમદાવાદથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરાવેલો હવે જીલ્લા કક્ષાના કાર્યક્રમોનો પ્રારંભ તારીખ ૨૩ માર્ચે સોમનાથથી થશે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત થશે ભવ્ય ઉજવણી, 75 શહેરોમાં યોજાશે અમૃત યાત્રા

ગાંધીનગર : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના ૭૫ વિવિધ શહેરો અને નગરોમાં યોજાશે "સાંસ્કૃતિક અમૃત યાત્રા" આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના ૭૫ વિવિધ શહેરો અને નગરોમાં "સાંસ્કૃતિક અમૃત યાત્રા" યોજાશે. ૧૨૫ થી પણ વધુ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો તથા આઝાદી સાથે જોડાયેલા પ્રસંગોને વણી તૈયાર થયેલો અદભુત મલ્ટી મીડિયા શો પણ રજુ થશે. રાજ્ય કક્ષાના કાર્યક્રમોનો પ્રારંભ ગત ૩૦ ડીસેમ્બરે અમદાવાદથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરાવેલો હવે જીલ્લા કક્ષાના કાર્યક્રમોનો પ્રારંભ તારીખ ૨૩ માર્ચે સોમનાથથી થશે.

સમગ્ર દેશ જ્યારે આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે, કોરોનાના બે બે કઠીન વર્ષ લગભગ પુરા થઇ ચુક્યા છે, ત્યારે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા ૭૫ શહેરો અને નગરો ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત "આઝાદીની અમૃત યાત્રા" શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પહેલાં ચરણમાં આ કાર્યક્રમ આગામી તારીખ ૨૩ માર્ચે ચોપાટી ગ્રાઉન્ડ, સોમનાથ મંદિર સામે, સોમનાથ, તારીખ ૨૪ માર્ચે , એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસ, ઓડીટોરીયમ ની પાછળ, મોતીબાગ, જુનાગઢ ખાતે યોજાશે. આ સમગ્ર આયોજન માં નામી કલાકારો સાથે સ્થાનિક કલાકારો પણ પોતાની પ્રસ્તુતી કરશે. આઝાદીના વિવિધ પ્રસંગો માંથી ખાસ પ્રસંગોની પસંદગી કરી જાણીતા નાટ્ય લેખક - દિગ્દર્શક  નિસર્ગ ત્રીવેદી એ , એ પ્રસંગોને નાટ્ય સ્વરૂપ આપી લેખન અને દિગ્દર્શન ની બેવડી જવાબદારી સંભાળી છે.

જ્યારે વિષય સાથે જોડાયેલા ચુનંદા ગીતો પર નૃત્ય નિર્દેશન ની જવાબદારી જાણીતા નૃત્ય નિર્દેશક  અંકુર પઠાણે સંભાળી છે. કોરોના કાળ પછી વધુ માં વધુ કલાકારો ને આ કાર્યક્રમમાં સમાવી એક નોંધનીય રોજગારી ઉભી કરવાનો હકારાત્મક અભિગમ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે. આગામી તારીખ ૨૩ માર્ચના રોજ સોમનાથ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો સાથે ગુજરાતના નામી કલાકારો સંગીતા લાબડીયા તથા બ્રીજરાજ લાબડીયા પોતાના સ્વરો રેલાવશે. તથા વિષય પ્રસ્તુતિ કરશે જુનાગઢ થી શરૂ કરીને વિશ્ર્વ કક્ષા સુધી પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે તેવી રાધા મહેતા. કાર્યક્રમનું સંચાલન જુનાગઢના જાણીતા કલાકાર  રાજુભાઇ ભટ્ટ જ્યારે સ્થાનિક કલાકારોમાં પોતાની પ્રસ્તુતી કરશે. નિરૂ દવે, શિતલ નાણાવટી તથા અવધ ભટ્ટ પણ હશે.

આગામી તારીખ ૨૪ માર્ચના રોજ જુનાગઢ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો સાથે ગુજરાતીઓના ગૌરવ સમા કલાકાર અને પાશ્ર્વ ગાયક પાર્થિવ ગોહિલ પોતાના સ્વરો રેલાવશે. ગુજરાતના સુરીલા અને જાણીતા કલાકાર સાત્વની ત્રીવેદી અને બહાદુર ગઢવી પણ સાથે જોડાશે. જુનાગઢ ખાતે પણ રાધા મહેતા જુનાગઢ મુક્તિ દિન સહિતની વાતો સાથે સ્ટેજ શોભાવશે. ગુજરાત ના જાણીતા લોકસાહિત્યકાર ડો. રણજીત વાંક કાર્યક્રમનું સંચાલન કરશે. 

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તરફથી યોજાનાર આ મેગા કાર્યક્રમ ને ગુજરાત પ્રવાસન નિગમ, જીલ્લા વહીવટી તંત્ર, સોમનાથ ટ્રસ્ટ, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જુનાગઢ મહાનગર પાલિકા, સોમનાથ નગરપાલિકા સહિત બન્ને જીલ્લાના પ્રાભારી મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો નો સહકાર મળ્યો છે. આ કાર્યક્રમ પ્રેક્ષકો વિનામુલ્યે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બન્ને જગ્યાએ સાંજે ૬:૩૦ વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં સૌ નગરજનો ને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news