ભરૂચના કાંકરિયા ધર્માંતરણ કેસમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા, 6 આરોપીની ધરપકડ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણ કેસમાં તપાસ ટીમોએ વધુ 6 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ આદિવાસી હિન્દુઓના ધર્માંતરણમાં ઝડપાયેલા આરોપીઓનો આંક 10 ઉપર પહોંચ્યો છે.

ભરૂચના કાંકરિયા ધર્માંતરણ કેસમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા, 6 આરોપીની ધરપકડ

ભરત ચુડાસમા/ભરૂચ: આમોદ કાંકરિયા ધર્માંતરણ કેસમાં વધુ 6 આરોપીની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે. ભરૂચના ધર્માંતરણના મામલામાં અત્યાર સુધી કુલ 10 ઝડપાયા ચુક્યા છે. સમગ્ર કેસમાં 14.41 લાખનું ફંડીગ ઈબાદતગાહ અને વહેંચણી માટે એકત્ર કરાયું હતું. જ્યારે 7 લાખ બહેરીનથી ઇસ્માઇલ નામની વ્યક્તિ પાસેથી રિઝવાને એકાઉન્ટમાં ડાયરેકટ મેળવ્યા હતા. 3.71 લાખ સલાઉદ્દીનના વડોદરાના આફમી ટ્રસ્ટમાંથી આછોદના બૈતુલમાલ ટ્રસ્ટએ મેળવ્યા હતા. પાલેજના રિઝવાન પટેલ, પાટણના સમીના યાકુબ, જંબુસર મસ્જિદનો કર્તાહતા ઐયુબ પટેલ, આછોદના ટ્રસ્ટના 2 હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે. 

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણ કેસમાં તપાસ ટીમોએ વધુ 6 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ આદિવાસી હિન્દુઓના ધર્માંતરણમાં ઝડપાયેલા આરોપીઓનો આંક 10 ઉપર પહોંચ્યો છે. જેમાં બેહરિનથી 7 લાખનું ફન્ડિંગ અને વડોદરાના સલાઉદ્દીનના આફમી ટ્રસ્ટમાંથી 3.41 લાખનું ફન્ડ ધર્માંતરણ તેમજ ઈબાદતગાહની પ્રવૃત્તિ માટે વપરાયું હોવાનો ખુલાસો થયો છે.

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 આદિવાસીઓના ધર્માંતરણમાં તપાસ અધિકારી DYSP એમ.પી. ભોજાણીની રાહબરી હેઠળ તપાસ ટીમોએ વધુ 6 આરોપીઓને ઝડપી પાડતા વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા છે. જેઓની વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવા ભરૂચ પોલીસે તજવીજ હાથ ધરી છે.

ગુનાની તપાસ દરમ્યાન ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ક.4 –ગ તથા આઈ.ટી.એકટની કલમ 84- સીનો ઉમેરો કરવામાં આવેલ છે. ઝડપાયેલા 6 આરોપીઓ દ્વારા એકત્ર કરેલ અંદાજીત ફંડ 14 લાખ પૈકીની 7 લાખ જેટલી રકમ રીજવાન દ્વારા બહેરીન (વિદેશ) ખાતેના ઈસ્માઈલ નામના ઈસમ પાસેથી બેંક ટુ બેંક રકમ મેળવવામાં આવી છે. અન્ય રકમ અલગ–અલગ મુસ્લિમ સંપ્રદાયના નાગરીકો પાસેથી જકાતના ભાગરૂપે મેળવી છે.

ઝડપાયેલા વધુ 6 આરોપીઓ
– યાકુબ ઈબ્રાહીમ શંકર રહે, સમી, પાટણ
– રીઝવાન મહેબુબભાઈ પટેલ રહે.પાલેજ
– ઠાકોર ગીરધરભાઈ વસાવા રહે – પુરસા, આમોદ
– સાજીદ અહમદભાઈ પટેલ રહે. આછોદ,આમોદ
– યુસુફ વલી હસન પટેલ રહે. બચ્યોકા ઘર, આમોદ
– ઐયુબ બસીરભાઈ પટેલ રહે. નુરાની સોસાયટી જંબુસર

ધર્માંતરણમાં ઝડપાયેલા 6 આરોપીની ભૂમિકા:-

1. પાટણના યાકુબ ઇબ્રાહિમ શંકર અને પાલેજના રિઝવાન પટેલે અંદાજિત રકમ 14 લાખની માતબર રકમ કાંકરીયા ગામે ઈબાદત ગાહ બનાવવા તેમજ લોભ લાલચના ભાગરૂપે ધર્માંતરણ પામેલા નાગરિકોને રોકડ સહાય કરવામાં ભાગ ભજવ્યો છે.

2. આમોદના ઠાકોર વસાવાએ આજથી આશરે 18 થી 20 વર્ષ પહેલા સૌ પ્રથમ હિન્દુ નાગરિકમાથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો છે. આ ઈસમ કાંકરીયા ગામના સમગ્ર ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃતિમાં અન્ય હિન્દુ પરિવારને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવડાવવા અગ્રેસર તેમજ પ્રવર્તક બની ચુકેલ છે. એટલે કે આ ઈસમની ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃતિમાં અત્યંત શરૂઆતની મુખ્ય ભુમિકા ભજવી છે.

3. આમોદ યુસુફ પટેલ અને આછોડના સાજીદ પટેલ આછોદ ગામના બૈતુલમાલ ટ્રસ્ટના હોદ્દેદારો છે. તેઓ બરોડા સીટી ડી.સી.બી.પો.સ્ટે.ના આરોપી સલાઉદ્દીન શેખના આફમી ચેરીટેબલ ટ્રસ્ટ પાસેથી અંદાજીત રકમ ₹3.71 લાખ મતબર રકમ મેળવી હતી. જેને ટ્રસ્ટમાં ભળતા માણસોના નામે બનાવતી રસીદો બનાવી વાસ્તવમાં આ રકમ કાંકરીયા ગામના ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃતિમાં વપરાયેલ છે.

4. જંબુસરનો ઐયુબ પટેલ જંબુસરની મહમ્મદી મસ્જીદમાં કર્તાહર્તા છે. તેની આ મસ્જીદમાં કાંકરીયા ગામના ધર્માંતરણ પામેલા નાગરીકોને આર્થિક સહાય , ખાણી – પીણીની વસ્તુઓ , જીવન જરૂરીયાતની વસ્તુઓ વિગેરેની લોભ – લાલચ , પ્રહલોભન આપી આ પોતાની દેખરેખ હેઠળની મસ્જીદમાં જુમ્માની નમાજ પઢવા માટે નાગરીકોને બળજબરીથી બોલાવતો હતો. એટલુ જ નહિ વધુમાં આ મસ્જીદમાં મૌલવીઓ દ્વારા તેમજ તેઓ પોતાના દ્વારા હિન્દુ ધર્મમાં નફરત પેદા થાય તેવુ ભાષણ કરી મુસ્લિમ ધર્મનો જબરદસ્તીથી જ્ઞાન આપી મુખ્ય ભુમિકા ભજવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news