ગોત્રીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની જાહેરાતનો ફિયાસ્કો! 3 વર્ષ પહેલાં કરાયેલી જોગવાઈ કાગળ પર રહી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવાની હતી. જો કે હકીકત એ જ છે, જે ત્રણ વર્ષ પહેલાં મનપાના બજેટમાં કરાયેલી જાહેરાત વખતે હતી. સત્તાધીશોએ ગોત્રી વિસ્તારમાં ગ્રાઉન્ડ બનાવવાની જાહેરાત કરીને સંતોષ માની લીધો.

ગોત્રીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની જાહેરાતનો ફિયાસ્કો! 3 વર્ષ પહેલાં કરાયેલી જોગવાઈ કાગળ પર રહી

ઝી બ્યુરો/વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોજેક્ટની જાહેરાત તો મોટા ઉપાડે કરી દે છે, પણ જ્યારે તે પ્રોજેક્ટના અમલીકરણની વાત આવે, ત્યારે સત્તાધીશો તરફથી વાયદાનો વેપાર શરૂ થાય છે. ત્રણ વર્ષ પહેલાં મનપાએ પોતાના બજેટમાં શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવાની જોગવાઈ કરી હતી. જો કે આ જાહેરાત ફક્ત કાગળોમાં જ સમેટાઈને રહી ગઈ છે. યુવાનો રાહ જોઈ રહ્યા છે કે મેદાન ક્યારે તૈયાર થશે, પણ તેનો જવાબ સત્તાધીશો પાસે પણ નથી. મનપાની માલિકીનું મેદાન ડમ્પિંગ સાઈટ બની રહ્યું છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવાની હતી. જો કે હકીકત એ જ છે, જે ત્રણ વર્ષ પહેલાં મનપાના બજેટમાં કરાયેલી જાહેરાત વખતે હતી. સત્તાધીશોએ ગોત્રી વિસ્તારમાં ગ્રાઉન્ડ બનાવવાની જાહેરાત કરીને સંતોષ માની લીધો, જે મેદાનમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનવાનું હતું, તે ધીમે ધીમે ડમ્પિંગ સાઈટ બની રહી છે. લોકો કચરો નાંખી જાય છે. આસપાસની બાંધકામ સાઈટો પરથી માટી અને કાટમાળ ઠલવાય છે. યુવાનોને અસમતળ મેદાનમાં ક્રિકેટ રમવાની ફરજ પડે છે. રમવા માટે બીજું કોઈ મેદાન પણ નથી. જો કે સત્તાધીશોને ન તો યુવાનોની ચિંતા છે કે ન તો પોતાની જાહેરાતના અમલીકરણની.

મનપાએ આમ તો ગોત્રીની આ ખુલ્લી જગ્યામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું આયોજન કર્યું હતું, પણ બજેટ વધી જતાં સ્ટેડિયમની જગ્યાએ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે સત્તાધીશોને પોતાની જ જાહેરાત પર અમલીકરણની પરવા નથી. આ મુદ્દે અમે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે પણ વાત કરી, તેમનું કહેવું છે કે કોઈ સંસ્થા અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા ટેન્ડર ભરવા માટે આગળ નથી આવતી...હવે પીપીપી ધોરણે મેદાનને વિકસાવવાની વિચારણા ચાલી રહી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો આ જવાબ સ્વબચાવ છે. હજુ તો સત્તાધીશો પીપીપી ધોરણે મેદાનનો વિકાસ કરવાનું આયોજન કરી રહ્યા છે. ગ્રાઉન્ડ ક્યારે તૈયાર થશે, તેની તો હાલ ચર્ચા પણ કરી શકાય તેમ નથી. આ કિસ્સો બાબતો તરફ નિર્દેશ કરે છે. એક તો મનપાને પોતાની માલિકીની જમીનના યોગ્ય ઉપયોગની ચિંતા નથી અને બીજું એ કે બજેટમાં કરવામાં આવતી જાહેરાતોને અમલીકરણ સાથે લેવાદેવા હોય તે જરૂરી નથી. તાજેતરમાં જ વડોદરામાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે, આ જાહેરાતને પણ આ વાત લાગુ પડે છે. રહી વાત મેદાનના વિકાસની, તો તંત્ર તેમાં પોતાનો ફાયદો પણ નથી જોઈ શકતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news