ઊલટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ :PSIએ જ ઈજાગ્રસ્ત યુવક સામે ફરિયાદ નોંધાવી

જેને હાથમાં ગુનાખોરી નાથવાની સત્તા આપવામા આવી છે, તે ગુજરાત પોલીસના અધિકારીઓ જ હવે ગુના આચરવાની તમામ હદો પાર કરી રહ્યાં છે. વડોદરાના પીએસઆઈ ફાયરિંગ કેસમાં ઊલટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ સર્જાયો છે. નશામાં ધૂત થઈને ફાયરિંગ કરનાર પીએસઆઈએ જ ઈજાગ્રસ્ત યુવકની સામે ફરિયાદ નોંધાવી છે. 

ઊલટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ :PSIએ જ ઈજાગ્રસ્ત યુવક સામે ફરિયાદ નોંધાવી

રવિ અગ્રવાલ/વડોદરા :જેને હાથમાં ગુનાખોરી નાથવાની સત્તા આપવામા આવી છે, તે ગુજરાત પોલીસના અધિકારીઓ જ હવે ગુના આચરવાની તમામ હદો પાર કરી રહ્યાં છે. વડોદરાના પીએસઆઈ ફાયરિંગ કેસમાં ઊલટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ સર્જાયો છે. નશામાં ધૂત થઈને ફાયરિંગ કરનાર પીએસઆઈએ જ ઈજાગ્રસ્ત યુવકની સામે ફરિયાદ નોંધાવી છે. 

શું બન્યું હતું 
તરસાલી વિસ્તારમાં આવેલ રવિપાર્ક રસ્તા પાસે મણીલાલ પ્રજાપતિ નામનો શખ્સ પાનનો ગલ્લો ચલાવે છે. ગઈકાલે રાત્રે 9.15 કલાકે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શક્તિસિંહ ચુડાસમા સિવિલ ડ્રેસમાં અહીં આવ્યા હતા. તેણે મણીલાલ સાથે ઝઘડો કર્યો હતો. ગલ્લાધારક મણીલાલના પુત્ર સુમિતે આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પીએસઆઈ ગુસ્સે ભરાયા હતા, અને તેની તરફ બંદૂક તાકી હતી. જેના બાદ ગુસ્સે ભરાયેલા પીએસઆઈ શક્તિસિંહ ચૂડાસમાએ સુમિત પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પીએસઆઈએ ઉપરાઉપરી ત્રણ ગોળીઓ સુમિત પર છોડી હતી, જેમાંથી એક પેટમાં અને બે પગમાં વાગી હતી. ઈજાગ્રસ્ત સિમિતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સિવિલ ડ્રેસમાં આવેલ પીએસઆઈ આ ઘટના બાદ તાત્કાલિક પોતાનું બૂલેટ મૂકીને ભાગી છૂટ્યા હતા. તો બીજી તરફ, પીએસઆઈ ચૂડાસમા નશામાં ધૂત હોવાનું પણ સામે આવ્યું છે. 

શું ગુજરાતમાં પોલીસને ગુનો કરવાનો છુટ્ટો દોર મળ્યો છે? વડોદરામાં નશેડી PSIએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું

પરિવારનો આરોપ 
વડોદારામાં પીએસઆઈના ફાયરિગનો મામલમાં સુમિતના પરિવારે આક્ષેપ કર્યો છે કે, પીએસઆઈ ચુડાસમા નશામાં હતા. તેથી તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરો. સુમિતના પરિવારે આરોપ પણ મૂક્યો કે, પોલીસ અધિકારીઓ પીએસઆઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

પીએસઆઈએ ઈજાગ્રસ્ત સુમિત સામે જ નોંધાવી ફરિયાદ 
પરિવારે જ્યાં પોલીસ પર સમગ્ર મામલાને ઢાંકવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે, ત્યાં પીએસઆઈ શક્તિસિહ ચૂડાસમાએ ઈજાગ્રસ્ત સુમિત પ્રજાપતિ સામે જ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈએ સુમિત સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. તેમજ દારૂના વેપલાની પણ કલમ લખાવી છે. ફરિયાદમાં સુમિત દારૂની મહેફિલ માણતો હોવાનો પણ ફરિયાદમા ઉલ્લેખ કરાયો છે. પીએસઆઈએ ચાર થી પાંચ શખ્સો સામે ફરિયાદ લખાવી છે. આમ, આ સમગ્ર મામલે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ ઘડાયો છે. 

https://lh3.googleusercontent.com/-fgBol_WNi1I/XPXkMI5djqI/AAAAAAAAHBg/kq84NHohymc51g9-Dj1jPCySYnc6hSdWACK8BGAs/s0/Vadodara_firing.JPG

જોકે, ઈજાગ્રસ્ત સુમિતના પરિવારની ફરિયાદ હજી પોલીસે નોંધી નથી. ત્યારે આ મામલામાં સ્પષ્ટ દેખાય છે કે, વડોદરા પોલીસ પોતાના પીએસઆઈની કરતૂતોને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે જોઈએ કે, સુરત પોલીસની જેમ હવે વડોદરા પોલીસ તંત્ર પોતાની આ પીએસઆઈ સામે શુ પગલા લે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news