આવો કેવી તહેવાર? મહાદેવનાં નગરમાં હોળી પ્રગટ્યાં પછી બોલાયછે અપશબ્દો !

પ્રભાસતીર્થમાં ઉજવાય છે અનોખો હોલીકાઉત્સવ. હોલીકાના પ્રાગટય સમયે મોટા અવાજે બોલાવામાં આવે છે અપશબ્દો. પરંતુ વાસ્તવમાં આ ઉચ્ચારણો અપશબ્દો નહી પરંતુ સંસ્કૃત ભાષાના ઉચ્ચારણો છે. 

આવો કેવી તહેવાર? મહાદેવનાં નગરમાં હોળી પ્રગટ્યાં પછી બોલાયછે અપશબ્દો !

ગીર સોમનાથ: પ્રભાસતીર્થમાં ઉજવાય છે અનોખો હોલીકાઉત્સવ. હોલીકાના પ્રાગટય સમયે મોટા અવાજે બોલાવામાં આવે છે અપશબ્દો. પરંતુ વાસ્તવમાં આ ઉચ્ચારણો અપશબ્દો નહી પરંતુ સંસ્કૃત ભાષાના ઉચ્ચારણો છે. જેના દ્વારા ભગવાન ભેરવનાથને આવનારો સમય સારો રહે તેની પ્રાર્થના કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી ઉપલબ્ધી તેના તહેવારો છે. વિશ્વના બધા જ દેશ કરતાં સૌથી વધુ વિવિધતાસભર તહેવાર ભારતમાં ઊજવાય છે. એટલું જ નહીં વિવિધતાની ચરમસીમા એ છે કે જેટલા પ્રાંત છે તેટલી જુદી જુદી રીતે તેની ઉજવણી થાય છે. દરેક તહેવારની પાછળ એક હેતુ છુપાયેલો હોય છે.

ગાંધીનગર: હોળી બાદ સળગતા અંગારા પર ચાલે છે લોકો, રસ્તા પર હોય છે અંગારા જ અંગારા
અનોખો હોલીકાઉત્સવ ગીર સોમનાથના પ્રભાસપાટણમાં ઉજવાઇ છે. આપને જાણીને નવાઇ લાગશે અહીંન હોલીકા દહનના પ્રારંભે મોટા અવાજે અપશબ્દોના ઉચ્ચારણ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં આ અપશબ્દ નહી પરંતુ આને ફાગ કહેવામાં આવે છે. જે સંસ્કૃત ભાષાનો એક પ્રકારના ઉચ્ચરણ છે, આ ફાગના ઉચ્ચાર સાથે સારા દિવસોની ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે.

ગાંધીનગર: હોળી પરથી અંબાલાલ પટેલે કર્યો વર્ષનો વરતારો, જાણો કેવું રહેશે આ વર્ષ
પ્રભાસ તીર્થના રામરાખ ચોખમાં આદિ અનાદિ કાળથી સમસ્ત હિંદુ સમાજ ભેગો થઇ ઉજવે છે. મિત્રમંડળ દ્વારા સાત દિવસ પહેલા ખેતરાવ માટી લઇને પલાડવામા આવે છે. જેને હોળીના આગલા દિવસે આ માટીથી કાલભૈરવની મુરતિ બનાવવામા આવે છે. ઉજવાતા આ અનોખા હોલિકા ઉત્સવમાં ગત વર્ષે હોલિકા ઉત્સવમાં પુલવામાં શહીદ થયેલ જવાનોના પરિવાર માટે ભંડોળ એકઠું કરી આધ્યાત્મિકતાની સાથે દેશભક્તિનું પણ ઉમદા ઉદાહરણ પુરુ પાડેલ અને આ વર્ષે કોરોના વાઇરસ સામે કેમ રક્ષણ મેળવવુ તેવા પતાકડા દરેક મીત્રમંડળ ના સભયોએ લગાડી લોકો ને સજાગ કરવામાં આવેલ હતા.

શું તમે જાણો છો ગુજરાતમાં વિશ્વના સૌથી ઉંચા સ્થળ પર ઉજવાય છે હોળી !
ભારત અને ગુજરાત ભરમાં હોલીનો ઉત્સવ ઉત્સાહ ભેર ઉજવવામાં આવે છે. જેમાં ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે હજારો અનાદીકાળથી ઉજવાતો અનોખાપ્રકારનો હોલીકા ઉત્સવ ભારતભરમાં કદાચ કાયાંય ઉજવાતો નહી હોય. આ ઉત્સવમાં પ્રભાસપાટણના સર્વે નગરજનો ઉલ્લાસભેર જોડાય છે, તેમજ પ્રભાસપાટણની અન્ય જુદ જુદા વિસ્તારોમાં થતાં હોલીકા ઉત્સવની જયોત પણ રામરાખના હોલીકાઉત્સવમાંથી લઇને જ હોલીકાપ્રજવલીત કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news