2002 ગોધરા કાંડ: SIT કોર્ટે ઇમરાન અને ફારુક ભાણાને દોષી ઠેરવ્યા, 3 નિર્દોષ

કોર્ટે બે આરોપીઓને દોષીત ઠેરવ્યા છે, દોષીત ઠેરવવામાં આવેલા લોકોનાં નામ ઇમરાન અને ફારુક ભાણો છે. તે ઉપરાંત ત્રણ આરોપીઓને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે

2002 ગોધરા કાંડ: SIT કોર્ટે ઇમરાન અને ફારુક ભાણાને દોષી ઠેરવ્યા, 3 નિર્દોષ

અમદાવાદ : વર્ષ 2002માં થયેલા ગોધરા ટ્રેન કાંડ મુદ્દે સોમવારે SITએ ચુકાદો આપ્યો છે. કોર્ટે બે આરોપીઓને દોષીત ઠેરવ્યા છે. દોષીત ઠેરવવામાં આવેલા લોકોનાં નામ ઇમરાન અને ફારુક ભાણો છે. તે ઉપરાંત ત્રણેય આરોપીઓને આ મુદ્દે દોષમુક્ત ઠેરવવામાં આવ્યા છે. હુસૈન સુલેમાન, કસમ ભેમેડી, ફારુક ધતિયા, ફારુક ભાણો, ઇમરાન ઉર્ફે શેરૂ ભટુકની વિરુદ્ધ સુનવણી ચાલી રહી હતી. 

વર્ષ 2002 ગોધરા કાંડ મુદ્દે 6 આરોપીઓમાંથી એક અબ્દુલગની પાટડિયાએ 20 ઓગષ્ટ 2017માં ટ્રાયલ દરમિયાન મોત થઇ ચુક્યું છે. હુસૈન સુલેમાન મોહનને 23 જુલાઇ 2015નાં રોજ ધરપકડ કરવામાં આવી હતી. 13 વર્ષ 4 મહિના અને 25 દિવસ સુધી ભાગેડુ હતું. કાસિમ ઇબ્રાહિમ ભમેડીને 26 જુલાઇ 2015ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે 13 વર્ષ સુધી ભાગતો રહ્યો હતો. ફારુક હાફિઝ ધતિયાને 30 ઓખ્ટોબર 2015ના રોજ ઝડપી લેવામાં આવ્યો હતો. 

આરોપી ફારુક મોહમ્મદ ભાણાની 18 ઓગષ્ટ 2018ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ઇમરાન ઉર્ફે શેરુ ભટકન ઘાંચીને 13 જુલાઇ 2016ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સરકારી વકીલ જેએમ પંચાલ અને એનએમ પ્રજાપતિએ દસ્તાવેજી પુરાવાઓ અને સાક્ષીઓનાં આધાર પર બે લોકોને દોષીત સાબિત કર્યા છે. આરોપીઓને મહત્તમ સજા દેવાની કોર્ટ પાસેથી માંગ કરવામાં આવી છે. 

એસઆઇટી વિશેષ કોર્ટે એક માર્ચ 2011ના રોજ આ મુદ્દે 31 લોકોને દોષીત કરાર કરવામાં આવ્યા હતા, જ્યારે 63 લોકોનો મુક્ત કરવામાં આવ્યા હતા. 11 દોષીતોને મોતની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે 20 લોકોને ઉંમરકેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરીને દોષ સિદ્ધ કરવાને પડકારવામાં આવી, જ્યારે રાજ્ય સરકારે 63 લોકોને મુક્ત કરવાનાં મુદ્દે પડકાર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news