GUJARAT CORONA UPDATE: 13 નવા કેસ, 4 રિકવર એક પણ મોત નહી

રાજ્યમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 4 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,936 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 43,403 રસીના ડોઝ અપાયા છે. 
GUJARAT CORONA UPDATE: 13 નવા કેસ, 4 રિકવર એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 4 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,936 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 43,403 રસીના ડોઝ અપાયા છે. 

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 76 એક્ટિવ કેસ છે. બે નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 74 દર્દી સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,12,936 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 3, ગાંધીનગર, વડોદરા તથા પાટણમાં 1-1 કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષ વધારેની ઉંમરના 1385 ને પ્રથમ જ્યારે 17065 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 450 ને રસીનો પ્રથમ જ્યારે 3148 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 10550 ને પ્રિકોર્શન અને 12-14 વર્ષના તરૂણો પૈકી 10805 ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 43,403 રસીના ડોઝ તથા 10,63,40,482 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news