GUJARAT CORONA UPDATE: નવા 15 કેસ, 17 દર્દી સાજા થયા, એક પણ નાગરિકનું મોત નહી

રાજ્યમાં આજે કોરોનાના 15 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ સુધરી રહ્યો છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ 98.76 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 8,15,041 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. જો કે આજે રક્ષાબંધનના તહેવારને ધ્યાને રાખીને સરકાર દ્વારા જ રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું. 
GUJARAT CORONA UPDATE: નવા 15 કેસ, 17 દર્દી સાજા થયા, એક પણ નાગરિકનું મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના 15 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ સુધરી રહ્યો છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ 98.76 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 8,15,041 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. જો કે આજે રક્ષાબંધનના તહેવારને ધ્યાને રાખીને સરકાર દ્વારા જ રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 182 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 178 નાગરિકો સ્ટેબલ છે. 8,15,041 નાગરિકોને ડીસ્ચાર્જ પણ આપવામાં આવી ચુક્યું છે. 10079 લોકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે સકારાત્મક સમાચાર છે કે, કોરોનાને કારણે આજે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. તો બીજી તરફ અમદાવાદમાં માત્ર 1 જ કેસ નોંધાયો છે. વડોદરા કોર્પોરેશનમાં 5, ભાવનગરમાં 3 કોરોના કેસ નોંધાયા છે. 

અમદાવાદ કોર્પોરેશનમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, જામનગરમાં 1, નર્મદામાં 1, પોરબંદરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 નાગરિકનો કોરોના પોઝિટિવ આવ્યો છે. આજે કોરોનાના કુલ 15 કેસ નોંધાયા છે. જો કે સમગ્ર ગુજરાતમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું. જે રાહતના સમાચાર કહી શકાય. જો કે કોરોના વેક્સિનેશન આજે રક્ષાબંધનના કારણે બંધ રખાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news