GUJARAT CORONA UPDATE: નવા 162 કેસ, 386 રિકવર થયા, 2 નાગરિકોનાં મોત

રાજ્યમાં કોરોનાના આજે નવા 162 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 386 દર્દીઓ રિકવર થયા. અત્યાર સુધીમાં કુલ 12,09,534દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. તો બીજી તરફ કોરોનાથી સાજા થવાનો દર ણ 98.94 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના 22,118 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 
GUJARAT CORONA UPDATE: નવા 162 કેસ, 386 રિકવર થયા, 2 નાગરિકોનાં મોત

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 162 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 386 દર્દીઓ રિકવર થયા. અત્યાર સુધીમાં કુલ 12,09,534દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. તો બીજી તરફ કોરોનાથી સાજા થવાનો દર ણ 98.94 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના 22,118 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2049 એક્ટિવ કેસ છે. જે પૈકી 23 નાગરિકો વેન્ટીલેટર પર છે. 2026 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1209534 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ કોરોનાને કારણે કુલ 10928 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે ગુજરાતમાં કોરોનાને કારણે માત્ર 2 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયા હતા. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4 ને પ્રથમ ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 655 ને પ્રથમ અને 1956 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 2332 અને 10707 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 686 ને પ્રથમ અને 8894 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 2884 ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજે રસીના કુલ 28117 ડોઝ અપાયા હતા જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,29,52,792 કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news