Gujarat Corona Update: રાજ્યમાં દિવાળી કરતા ખરાબ સ્થિતી નવા 1640, રિકવરી રેટ ઘટીને 95.74 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 1640 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1110 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,76,348 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.74 ટકા પર પહોંચી ચુક્યો છે. 
Gujarat Corona Update: રાજ્યમાં દિવાળી કરતા ખરાબ સ્થિતી નવા 1640, રિકવરી રેટ ઘટીને 95.74 પર પહોંચ્યો

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 1640 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1110 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,76,348 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.74 ટકા પર પહોંચી ચુક્યો છે. 

અત્યાર સુધીમાં કુલ 32,74,493 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,03,693 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 38,78,186 લોકોને રસી આપવામાંઆવી છે. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,22,186 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિમાં રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 

રાજ્યમાં કોરોનાનાં કુલ 1640 દર્દી નોંધાયા અને રાજ્યમાંથી 1110 દર્દીઓ સાજા થયા. આ ઉપરાંત રાજ્યનો રિકવરી રેટ ઘટીને 95.74 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,76,348 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કુલ 7847 કોરોનાના એક્ટિવ કેસ છે. 73 લોકો વેન્ટિલેટર પર છે. 7774 લોકો સ્ટેબલ છે. 2,76,348 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4454 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે આજે કુલ 04 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 2 અને સુરત કોર્પોરેશનનાં 2 સહિત કુલ 04 લોકોનાં મોત નિપજ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news