તીસ્તા સેતલવાડ કોઈ રહેમને લાયક નથી, ગુજરાત હાઈકોર્ટ જબરદસ્ત બગડી

ગોધરકાંડ સાથે સંકળાયેલાં કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરી છે. તીસ્તા સેતલવાડે આ કેસમાં શું કર્યું અને શા માટે થઈ રહ્યો છે આખો મોટો વિવાદ એ પણ જાણો...

તીસ્તા સેતલવાડ કોઈ રહેમને લાયક નથી, ગુજરાત હાઈકોર્ટ જબરદસ્ત બગડી

નવી દિલ્લીઃ ગોધરાકાંડનું ભૂત ગુજરાતમાં વારંવાર ધૂણે છે. હવે આ કેસ સાથે સંકળાયેલા એક પ્રકરણમાં તીસ્તા ભરાઈ જશે.  ગુજરાત હાઈકોર્ટે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને (Teesta Setalvad) મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે સોમવારે સંકેત આપ્યો હતો કે તિસ્તા સેતલવાડના રેકોર્ડને જોતા, તે પાંડરવાડા સામૂહિક કબર ખોદવાના કેસમાં કોઈ રાહત આપવાના મૂડમાં નથી. ગુજરાત સરકારને કઠેડામાં ઉભી કરી દેનાર તીસ્તા સામે હવે કાર્યવાહી થાય તો નવાઈ નહીં..

ગોધરાકાંડ સાથે સંકળાયેલા આ કેસમાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને (Teesta Setalvad) ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળવાની આશા નથી. ગુજરાત હાઈકોર્ટે સોમવારે સંકેત આપ્યો હતો કે તે તિસ્તા સેતલવાડના રેકોર્ડને ધ્યાનમાં લઈને પાંડરવાડા સામૂહિક કબર ખોદવાના કેસમાં કોઈ રાહત આપવાના મૂડમાં નથી. હકીકતમાં, ડિસેમ્બર 2005માં ગોધરા હિંસા પછી પંચમહાલ જિલ્લાના પાંડરવાડા નજીક સામૂહિક દફન સ્થળમાંથી કબરો ખોદવા અને 28 મૃતદેહો કાઢવાના કેસમાં સેતલવાડનું નામ છે. 2011માં નોંધાયેલી FIRમાં તેમનું નામ સામેલ થયા બાદ સેતલવાડે 2017માં કોર્ટમાં અરજી કરી હતી.

2006માં ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ વિરુદ્ધ ખોટા પુરાવાઓ બનાવવા, પુરાવાનો નાશ કરવા, કબ્રસ્તાનમાં અતિક્રમણ કરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર FIR દાખલ કરી હતી. સોમવારે જ્યારે આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે જસ્ટિસ સંદીપ ભટ્ટે સેતલવાડના વકીલ યોગેશ રાવણીને કહ્યું કે રેકોર્ડ જોયા પછી હું રાહત આપવાના મૂડમાં નથી. તમારે તમારા જવાબથી (કોર્ટને) સંતુષ્ટ કરવી પડશે.

રાજકીય દમન પર હાઈકોર્ટ બગડી...
વકીલે કહ્યું કે આ તેમના આધિપત્યનો વિશેષાધિકાર છે. અમે કોર્ટને સમજાવવાનો પ્રયાસ કરીશું આ કેસમાં કોઈ ગુનો બનતો નથી. આખરે આ રાજકીય દમન છે. આના પર ન્યાયાધીશે જવાબ આપ્યો કે આ એક ખૂબ જ વ્યાપક શબ્દ છે જેનો આજકાલ વધારે ઉપયોગ થાય છે. આ કેસની સુનાવણી 9 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે.

લુણાવાડા નગરપાલિકાએ સેતલવાડ સ્થિત NGO સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસના પૂર્વ સંયોજક રઈસ ખાન સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. દંગા પીડિતોના આક્ષેપો બાદ એમના સંબંધીઓએ શબપરીક્ષણ માટેની પ્રક્રિયાને યોગ્ય રીતે અનુસર્યા વિના દફનાવવામાં આવ્યા હોવાના આરોપો મૂક્યા હતા. જે અંતર્ગત હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા.

સેતલવાડનું આ કેસમાં નામ કેવી રીતે આવ્યું?
રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે સ્થળને કબ્રસ્તાન તરીકે યોગ્ય રીતે સૂચિત કર્યા પછી જ દફનવિધિ કરવામાં આવી હતી. ખાન અને સેતલવાડ અલગ થયા બાદ ખાનના નિવેદનના આધારે સેતલવાડનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. ખાને જણાવ્યું હતું કે મૃતદેહોને કાઢવાનું કામ તેમના આદેશ પર કરવામાં આવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news