મહત્વના છે 24 કલાક: ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે મંગળવારે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બુધવારે 7 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી કરી છે.

મહત્વના છે 24 કલાક: ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ઝી બ્યૂરો, અમદાવાદ: હવામાન વિભાગ મુજબ આગામી મંગળવારના પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. 16 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે મંગળવારે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બુધવારે 7 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી કરી છે.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. બનાસ નદી પાણીમાં વધારો થતાં અમીરગઢ મામલતદારે ટીડીઓ સહિત પી.એસ.આઇ દ્વારા નદી કાંઠાના ગામોના સરપંચોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. નદી કાંઠાના ગામોને નદીના પટમાં ન ઉતારવા મામલતદાર દ્રારા સૂચના આપવામાં આવી છે. જોકે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસનદીમાં પાણી વધે તેવી શક્યતા છે. બનાસ નદીમાં પાણી વધવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થશે.

તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઇ છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં પાણીની સપાટી વધી છે. ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે આવ્યા નવા નીર આવક થઇ છે. છેલ્લા 11 દિવસમાં ડેમની જળ સપાટીમાં 10 ફુટ અને 23 ટકાનો વધારો નોંધાયો છે. પ્રતિ સેકન્ડ 63056 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે, જ્યારે પાણીની હાલની સપાટી 611.80 ફૂટ છે તો પાણીનો કુલ જથ્થો 64.23 ટકા છે. વરસાદને પગલે હજુ વધુ આવક થવાની શક્યતા છે. 

રાજ્ય અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 135.29 મીટરને પાર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તેથી ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે. નર્મદા ડેમ જળસપાટી લેવલથી માત્ર 3 મીટર દૂર છે. ત્યારે નર્મદામાં છોડવામાં આવતા પાણીને લઇને વડોદરા જિલ્લાના તાલુકાના ગામોને અસર થશે. ડભોઇ તાલુકાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ચાંદોદ ખાતે પસાર નર્મદા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news