Gujarat Rain: ગુજરાતમાં આજે પણ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી, વાંચીને જ ઘરની બહાર પગ મૂકજો

Gujarat Weather Forecast: સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 100 તાલુકામાં વરસાદ પડ્યો છે. ભાવનગરમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain: ગુજરાતમાં આજે પણ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી, વાંચીને જ ઘરની બહાર પગ મૂકજો

Gujarat Weather Forecast: સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 100 તાલુકામાં વરસાદ પડ્યો છે. ભાવનગરમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારીમાં ફરી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. નવસારી જિલ્લામાં આજે ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. રાતે 4 કલાકમાં 9.5 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા વહીવટી તંત્ર એક્શનમાં છે. રાત્રે 10થી 2 દરમિયાન ભારે વરસાદ પડ્યો. 

આજે પણ ભારે વરસાદની આગાહી
આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ગુરુવારે 100 તાલુકામાં વરસ્યો વરસાદ. નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાંઈ તેવા અણસાર પણ વ્યક્ત કરાયા છે. બીજી બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. 

હવામાન વિભાગના જણાવાયા અનુસાર શુક્રવારે એટલે કે આજે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ મેઘાડંબર રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડશે. ગાજવીજ અને તોફાની પવન સાથે 28 જુલાઈએ નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદ પડી શકે છે.

બે દિવસની વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે જ્યારે રવિવારે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે હાલની સ્થિતિએ રાજ્યમાં સોમવારથી બુધવાર ભારે વરસાદની સંભાવના નહિવત છે. 

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એકવાર ચોમાસાની આગાહી કરી છે.  28 નાં રોજ રાજ્યનાં પશ્ચિમ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવનારા ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 ઓગસ્ટ સુધી પવન ભેજનું ગેસ્ટ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. તેમણે કહ્યું કે, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે. 

અંબાલાલ પટેલે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી કરીને જણાવ્યું હતું કે હજુ ગુજરાતમાં સારા વરસાદનાં સંજોગો બની રહ્યા છે. ત્યારે મુંબઈ મહારાષ્ટ્રમાં પણ 400 મીમી વરસાદ થશે. તેમજ આહવા ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 26 જુલાઈ એ ઓરિસ્સાનાં દરિયામાં ડીપ ડિપ્રેશન મજબૂત બન્યું છે. જેનાથી ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે. રાજ્યમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થશે. તેમજ નર્મદા અને તાપી જળસ્તરમાં વધારો રહેશે. બંગાળનાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં પ્રતિ કિમી 100 ની ઝડપે પવન ફૂંકાશે. ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદમાં વરસાદની શક્યતા છે.

નવસારીમાં 4 કલાકમાં 9.5 ઈંચથી વધુ વરસાદ
નવસારી જિલ્લામાં ગત રાતથી પડી રહેલા મુશળાધાર વરસાદે ફરી નવસારીને જળબંબાકાર કર્યું છે. નવસારીમાં રાત્રે 10 થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં જ 4 ઇંચ થી વધુ વરસાદ વરસતા શહેરમાં વરસાદી પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેનું કારણ ડ્રેનેજ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. શહેરના મધ્ય એવા સેન્ટ્રલ બેન્ક વિસ્તારના દુકાનદારોની રાત વરસાદે બગાડી છે. કારણ સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં કેડ સમા પાણી થઈ જતા દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા, તેના કારણે દુકાનદારોને નુકસાની વેઠવા પડી છે. ગત શનિવારે સવારે 10 થી 12 માં 9.50 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં પણ દુકાનદારોને નુકસાન થયું હતુ. ત્યારબાદ પાલિકામાં ડ્રેનેજની સ્થિતિ સુધારવા રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી ન થતા આજે ફરી વરસાદી આફતમાં દુકાનદારોની મુશ્કેલી વધી છે

નવસારી શહેરમાં રાત્રે 10 થી 2 દરમિયાન પડેલા ભારે વરસાદને ધ્યાને લઈ જાહેર જનતાને સલામત સ્થળે રહેવા જિલ્લા કલેકટરે અપીલ કરી છે. આપાતકાલીન સંજોગોને પહોંચી વળવા જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યાં છે. સંપર્ક નં 02637 - 259401/233002 તથા ટોલ ફ્રી નં. 1077 પર સંપર્ક કરવા લોકોને અપીલ કરાઈ છે. નવસારીમાં એક NDRF ની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અધિકારીઓને પણ હેડ કોટર ન છોડવા માટે સૂચના અપાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news