ખુશખબર! ખેતીવાડીનું કામ ચોક્સાઈથી આવડે છે તો કેનેડામાં છે નોકરીની તક, 30 હજાર લોકોની છે જરૂર

Canada Job: જો તમે ખેતીનું કામ જાણો છો, તો તમે કેનેડામાં નોકરી મેળવી શકો છો. તાજેતરના દિવસોમાં ત્યાંના કૃષિ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં શ્રમિકોની જરૂર છે. એક અહેવાલ જણાવે છે કે કેનેડાને આગામી દાયકામાં કૃષિ ક્ષેત્રમાં 30,000 નવા ઇમિગ્રન્ટ્સની જરૂર પડશે.

ખુશખબર! ખેતીવાડીનું કામ ચોક્સાઈથી આવડે છે તો કેનેડામાં છે નોકરીની તક, 30 હજાર લોકોની છે જરૂર

Canada Job: આજકાલ ગુજરાતીઓમાં વિદેશ જવાનું જબરૂ ઘેલું લાગ્યું છે. ગુજરાતીઓમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ જેવા દેશો હોટફેવરિટ છે. અહીંથી વિદ્યાર્થીઓ સ્ટૂડન્ટ વિઝા મેળવીને આ દેશોમાં ભણવા જાય છે. પરંતુ જે લોકો સ્ટૂડન્ટ વિઝા પર ના જઈ શકે તે ગુજરાતીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમારું સ્વપ્ન પણ આ દેશોમાં જવાનું હોય તો તમે પણ જઈ શકો છો, તેના માટે બસ ખેતી કરતા આવડવું જોઈએ. જો તમે ખેતીનું કામ જાણો છો, તો તમે પણ કેનેડામાં નોકરી મેળવી શકો છો. તાજેતરના દિવસોમાં ત્યાંના કૃષિ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં શ્રમિકોની જરૂર છે. એક અહેવાલ જણાવે છે કે કેનેડાને આગામી દાયકામાં કૃષિ ક્ષેત્રમાં 30,000 નવા ઇમિગ્રન્ટ્સની જરૂર પડશે.

મોટી સંખ્યામાં ફાર્મ ઓપરેટરો થઈ રહ્યા છે નિવૃત્ત 
રોયલ બેંક ઓફ કેનેડાના સંશોધન મુજબ 40 ટકા કેનેડિયન ફાર્મ ઓપરેટરો 2033 સુધીમાં નિવૃત્ત થશે. જેના કારણે કૃષિ દેશના ઈતિહાસમાં સૌથી મોટા શ્રમ અને નેતૃત્વ પરિવર્તન સુધી પહોંચશે. આ જ સમયગાળા દરમિયાન ખેતરો, નર્સરીઓ અને ગ્રીનહાઉસીસમાં 24,000 કામદારોની અછત થવાની સંભાવના છે. આગામી 10 વર્ષોમાં આજે કાર્યરત 60 ટકા કૃષિ ઓપરેટરો નિવૃત્તિની નજીક 65 વર્ષથી વધુ વયના હશે.

ખેતીવાડી થશે પ્રભાવિત 
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ વાતો વચ્ચે 66 ટકા ઉત્પાદકોની પાસે ઉત્તરાધિકારની યોજના જ નથી. જેના કારણે ખેતીની જમીનનું ભવિષ્ય શંકાના દાયરામાં છે. કેનેડાનું કૃષિ ક્ષેત્ર વિશ્વમાં સૌથી વધુ વૈવિધ્યસભર છે. જો કે, વિદેશી કામદારોની માંગ અને કામગીરી દરેક પ્રાંતમાં અલગ અલગ છે. જ્યારે ઉચ્ચ કુશળ કૃષિ સંચાલકોની વાત આવે છે, ત્યારે કેનેડાએ હંમેશા ભારત, નેધરલેન્ડ, ચીન, યુએસ અને યુકેના લોકોનું સ્વાગત કર્યું છે.

જો કે, અભ્યાસ જણાવે છે કે ઓછા-કુશળ કામદારોના સ્થળાંતરના સંદર્ભમાં વધુ સારી નીતિઓની જરૂર છે કારણ કે ટેમ્પરરી ફોરેન વર્કર્સ (TFW) પ્રોગ્રામ, જે ઓછા-કુશળ શ્રમનો મહત્વનો સ્ત્રોત છે, તે જૂની સમસ્યાનો માત્ર અસ્થાયી ઉકેલ છે. આમાંના ઘણા ટીએફડબ્લ્યુ કે જેઓ પાક રોપવા અને કાપવા માટે જરૂરી કૌશલ્ય વિકસાવે છે તેઓ ટૂંકા ગાળા માટે તેમના દેશોમાં પાછા જાય છે, અને જો તેઓ કેનેડા પાછા આવી શકતા નથી, તો દેશના કૃષિ કાર્યક્ષેત્રમાં નાટકીય રીતે ઘટાડો થાય છે. RBC સંશોધકોએ જણાવ્યું હતું કે અનુભવી TFW માટે કાયમી રહેઠાણનો માર્ગ આ પ્રકારની ઉણપને તરત જ દૂર કરશે.

પાયલોટ પ્રોગ્રામ આગામી મેમાં થાય છે સમાપ્ત 
એક ખાનગી ન્યૂઝના અહેવાલમાં જણાવાયું છે કે અનુભવ ધરાવતા બિન-મોસમી કામદારો માટે કાયમી રહેઠાણનો માર્ગ પ્રદાન કરવા કેનેડાએ 2020 માં કૃષિ-વિશિષ્ટ ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. તે 2023માં સમાપ્ત થવાનો છે. ફેબ્રુઆરી 2023 સુધીમાં ઓટાવા પ્રાંતમાં પ્રોગ્રામ દ્વારા 1,500 થી વધુ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ પાયલોટ પ્રોગ્રામનું મૂલ્યાંકન કરી રહ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે સ્થળાંતર કરનારાઓને કાયમી નિવાસ આપવો એ મજૂરોની અછતનો ઉકેલ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news