દિવાળી નજીક આવતા જ તસ્કરો બેફામ: ધોળા દિવસે ઘર માલિકની હાજરીમાં ચોરી

ધોળા દિવસે તસ્કરોએ ઘરમાં ઘુસીને આખા પરિવારને સ્પ્રેછાંટીને બેભાન કરી દીધા હતા અને ઘરમાંથી ચોરી કરી હતી

દિવાળી નજીક આવતા જ તસ્કરો બેફામ: ધોળા દિવસે ઘર માલિકની હાજરીમાં ચોરી

સુરત : દિવાળી આવતાની સાથે જ તસ્કરો બેફામ બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે. સુરત શહેરમા પોલીસ પેટ્રોલિંગ વચ્ચે તસ્કરોએ અડાજણ વિસ્તારના એક ફલેટમાં રહેતા પરિવાર પર સ્પ્રે છાટી બેભાન કરી દીધુ હતુ અને બાદમા 30 તોલા સોનાના દાગીના તથા રોકડની લૂંટ કરી ત્યાથી ભાગી છુટયા હતા. બનાવની જાણ થતા જ અડાજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

સુરતના અડાજણ  વિસ્તારમા આવેલી સરર્પણ સોસાયટીના દક્ષ એપાર્ટમેન્ટમા મેહુલ ઇશ્વરભાઇ રહે છે. જેઓ નોકરી કરી પોતાના પરિવારજનોનુ ગુજરાન ચલાવે છે. ગત મોડી રાતે અજાણ્યા લુંટારુઓએ તેમના ઘરને નિશાન બનાવ્યુ હતુ. મેહુલભાઇ તેમના પરિવારજનો સાથે સુતા હતા. દરમિયાન અજાણ્યા લુટારુઓ દ્વારા ઘરની પાછળની બારી મારફતે અંદર ઘુસ્યા હતા. 

જ્યા તેઓએ સૌ પ્રથમ પરિવારજન પર સ્પ્રે છાંટી તેમને બેભાન કરી દીધા હતા. બાદમાં ઘરના કબાટમાથી 30 તોલા સોનાના દાગીના તથા રોકડ રુ 50 હજારની લૂંટ ચલાવી ભાગી છુટયા હતા. આ બનાવની જાણ અડાજણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ અડાજણ પોલીસે એપાર્ટમેન્ટ તથા આસપાસના વિસ્તારમા લાગેલા સીસીટીવી કેમેરા ની તપાસ હાથ ધરી છે. હવે જોવાનુ એ રહ્યુ કે પોલીસ આરોપી સુધી કયારે પહોંચે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news