ગૌતમ અદાણીના ઘરે ફરી એકવાર વાગશે શરણાઈ, જાણો નાના પુત્ર જીતની સગાઈ કોની સાથે થઈ

ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ રવિવાર 12 માર્ચ 2023ના રોજ દિવા જૈમિન શાહ સાથે સગાઈ કરી હતી. સગાઈનો કાર્યક્રમ ગુજરાતના અમદાવાદમાં એક ખાનગી સમારોહ યોજાયો હતો. આમાં બંને પરિવારના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

ગૌતમ અદાણીના ઘરે ફરી એકવાર વાગશે શરણાઈ, જાણો નાના પુત્ર જીતની સગાઈ કોની સાથે થઈ

ઝી બ્યુરો/અમદાવાદ: ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરે ફરી એકવાર શહેનાઈ વાગવા જઈ રહી છે. તેમના નાના પુત્ર જીત અદાણીની સગાઈ થઈ ગઈ છે. અહેવાલ મુજબ, એક હીરા વેપારીની પુત્રી દિવા જૈમિન શાહ  (Diva Jaimin Shah) હવે નાની વહુ તરીકે અદાણી પરિવારમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જો કે લગ્નની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. 

ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ રવિવાર 12 માર્ચ 2023ના રોજ દિવા જૈમિન શાહ સાથે સગાઈ કરી હતી. સગાઈનો કાર્યક્રમ ગુજરાતના અમદાવાદમાં એક ખાનગી સમારોહ યોજાયો હતો. આમાં બંને પરિવારના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. અદાણીની ભાવિ પુત્રવધૂ દિવા જૈમિન શાહ સી. દિનેશ એન્ડ કંપની. પ્રા. લિ.ના માલિક જૈમિન શાહની પુત્રી છે.

No description available.

જીત અદાણી વિશે
ગૌતમ અદાણીને બે પુત્ર છે. મોટા પુત્રનું નામ કરણ અદાણી અને નાનાનું નામ જીત અદાણી છે. નાનો પુત્ર જીત અદાણીનો જન્મ 7 નવેમ્બર 1997ના રોજ થયો હતો. જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. જીત વર્ષ 2019માં ભારત પરત ફર્યો હતો. જીત અદાણી અને તેમના મોટા ભાઈ કરણ બંનેએ વિદેશમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. જીતે પણ તેના પિતા અને ભાઈની જેમ બિઝનેસ સંભાળવાનું શરૂ કર્યું છે.

અદાણી ગ્રુપનો બિઝનેસ સંભાળે છે જીત અદાણી 
જીત અદાણી વર્ષ 2019થી અદાણી ગ્રૂપ સાથે સંકળાયેલા છે અને પિતાની સાથે બિઝનેસમાં સહભાગી બની રહ્યા છે. જીત અદાણીને વર્ષ 2022માં અદાણી ગ્રુપમાં વાઇસ પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અદાણી ગ્રુપનો દેશ અને દુનિયામાં મોટો બિઝનેસ છે. આ જૂથના સંસ્થાપક અને અધ્યક્ષ ગૌતમ અદાણી છે. અદાણી ગ્રૂપ મુખ્યત્વે બંદરો, તેલ અને ગેસ સંશોધન, વીજ ઉત્પાદન, કોલસાના વેપાર, ગેસ વિતરણ અને કોલસાના ખાણકામના વ્યવસાય સાથે સંકળાયેલું છે.

No description available.

મોટા પુત્ર કરણના લગ્ન 2013માં થયા હતા
અગાઉ, ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણના લગ્ન જાણીતા કોર્પોરેટ વકીલ સિરિલ શ્રોફની પુત્રી પરિધિ અદાણી (Paridhi Adani) સાથે થયા હતા. કરણ અદાણી અને પરિધિના લગ્ન વર્ષ 2013માં થયા હતા. બંનેના લગ્નમાં પીએમ મોદી પણ પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, કરણ અદાણી હાલમાં અદાણી પોર્ટ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ના CEO છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news