રાધનપુર રક્તરંજિત : વારાહી હાઈવે પર ગોઝારા અકસ્માતમાં 6 ના મોત


પાટણના રાધનપુર-વારાહી હાઇવે પર ગોઝારો અકસ્માત... મુસાફરો ભરેલી જીપ સાથે ટ્રક અથડાતા 6 લોકોનાં મોત... અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી હજુપણ વધી શકે છે મૃત્યુઆંક...

રાધનપુર રક્તરંજિત : વારાહી હાઈવે પર ગોઝારા અકસ્માતમાં 6 ના મોત

Accident News : ઉત્તર ગુજરાતમા પાટણના રાધનપુર વારાહી હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. રાધનપુર વારાહી હાઇવે પર પીપળી પાટિયા નજીક ટ્રક અને મુસાફર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનામાં 6 મુસાફરોના મોત નિપજ્યા છે. તો અન્ય ઈજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, આ અકસ્માત એટલો દર્દનાક હતો કે, હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા હતા. રાધનપુર પોલીસ ઘટના સ્થળપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાધનપુરના વારાહી હાઈવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે અકસ્માત થયો હતો. જેમાં એક જીપ ટ્રકમા ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, જીપના ફૂરચેફુરચા ઉડી ગયા હતા. જેના બાદમાં જીપમાં સવાર લોકોના મોતથી હાઈવે પર માતમ છવાયો હતો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 15, 2023

આ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે, તો 10 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 

અકસ્માત બાદ તાત્કાલિક લોકો દોડીને આવ્યા હતા અને પોલીસને જાણ કરાઈ હતી. તો ઘાયલોને જીપમાંથી બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news