હવે રિવરફ્રંટ જવા માટે મળશે AMTS બસ, પાંચ જૂનથી શરૂ થશે AC બસ સેવા

અમદાવાદમાં રિવરફ્રંટની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો જતાં હોય છે. હવે લોકોની સુવિધા માટે એએમટીએસ બસ સેવા શરૂ કરવામાં આવશે. 

હવે રિવરફ્રંટ જવા માટે મળશે AMTS બસ, પાંચ જૂનથી શરૂ થશે AC બસ સેવા

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ તથા બહારથી અહીં ફરવા આવતા લોકો રિવરફ્રંટની મુલાકાત ચોક્કસ લેતા હોય છે. આ રિવરફ્રંટ પર અટલ બ્રિજ પણ આવેલો છે. રજાઓના દિવસોમાં ત્યાં ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે લોકોને વાહન પાર્કિંગ કરવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે રિવરફ્રંટના મુલાકાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે. 

રિવરફ્રંટનાં મુલાકાતીઓ માટે સારા સમાચાર 
રિવરફ્રંટની મુલાકાતે આવતા મુલાકાતીઓને હવે એએમટીએસની સુવિધા મળશે. આગામી પાંચ જૂનથી રિવરફ્રંટના માર્ગો પર એએમટીએસ બસ સેવા શરૂ થશે. એએમટીએસ દ્વારા મીની એસી બસ દોડાવવામાં આવશે. આ બસ વાસણા ટર્મિનલથી ઉપડી વાડજ ટર્મિનલ જશે. 

લોકોને થશે ફાયદો
એએમટીએસ બસ દ્વારા લોકો સીધા રિવરફ્રંટ જશે. આ બસ સેવા વાસણા ટર્મિનલથી ઉપડી વાડજ ટર્મિનલ જશે. આંબેડકર બ્રિજથી રિવરફ્રંટ રૂટ પર બસ જશે અને ચંદ્રભાગાથી બસ બહાર નિકળશે. આ બસનો કુલ રૂટ 10 કિલોમીટરનો રહેશે. હવે રિવરફ્રંટની મુલાકાતે આવતા લોકોએ બસની સુવિધા મળતા ચાલવું પડશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news