ORSના જનક દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણ, જાણો કેવી રીતે બચાવી લાખો જિંદગીઓ....

12 નવેમ્બર 1934ના રોજ તત્કાલિન બંગાળના કિશોરગંજમાં જન્મેલા મહાલનબિસે 1958માં કલકત્તા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે પીડિયાટ્રીક્સની પ્રેક્ટિસ શરૂ કરી. બે વર્ષ બાદ તેઓ લંડનમાં નેશનલ હેલ્થ સર્વિસ સાથે જોડાયા અને MRCP પૂર્ણ કર્યું.

ORSના જનક દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણ, જાણો કેવી રીતે બચાવી લાખો જિંદગીઓ....

અમદાવાદ: 12 નવેમ્બર 1934ના રોજ તત્કાલિન બંગાળના કિશોરગંજમાં જન્મેલા મહાલનબિસે 1958માં કલકત્તા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. મહાલનબિસે ભારત પરત ફરીને 1964માં ઓરલ રિહાઈડ્રેશન થેરાપી પર રિસર્ચ શરૂ કર્યું. 

ORSનાં નામે દુનિયાભરમાં જાણતા ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન વડે લાખો લોકોની જિંદગી બચાવનાર ડોક્ટર દિલીપ મહાલનબીસને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવશે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે જાહેર કરેલા પદ્મ પુરસ્કારોમાં ડોક્ટર મહાલનબીસનું પણ નામ છે. 16 ઓક્ટોબર 2022નાં રોજ તેમણે 87 વર્ષની વયે કોલકાતાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન જીવનરક્ષક સોલ્યુશનને વિકસિત કરીને તેમજ તેને ઓરલ રિહાઈડ્રશન થેરાપી તરીકે પ્રચલિત કરવાનો શ્રેય ડોક્ટર દિલીપ મહાલનબિસને જાય છે.

મૂળ પીડિયાટ્રિક હતા ડો. મહાલનબીસ
12 નવેમ્બર 1934ના રોજ તત્કાલિન બંગાળના કિશોરગંજમાં જન્મેલા મહાલનબિસે 1958માં કલકત્તા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે પીડિયાટ્રીક્સની પ્રેક્ટિસ શરૂ કરી. બે વર્ષ બાદ તેઓ લંડનમાં નેશનલ હેલ્થ સર્વિસ સાથે જોડાયા અને MRCP પૂર્ણ કર્યું. ત્યારબાદ તેઓ જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી સાથે જોડાયા, કોલેરાની સારવાર માટે જેનું એક સેન્ટર કોલકાતામાં હતું.

ORT વિકસાવી
ડોક્ટર મહાલનબિસ ભારત પરત ફર્યા અને 1964માં ઓરલ રિહાઈડ્રેશન થેરાપી પર રિસર્ચ શરૂ કર્યું. આ સંશોધન તેઓ કોલકાતાનાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી ઈન્ટરનેશનલ સેન્ટર ફોર મેડિસિન રિસર્ચ એન્ડ ટ્રેનિંગમાં કરતા હતા. ORS મૂળ મીઠું, બેકિંગ સોડા અને ગ્લુકોઝનું મિશ્રણ છે, જેનો ઉપયોગ અતિસાર (ડાયરિયા)ની સારવાર માટે થાય છે.

લાખો શરણાર્થીઓની જિંદગી બચાવી
1971નાં બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન તે સમયનાં પૂર્વ પાકિસ્તાનમાંથી લાખો લોકોએ શરણાર્થી તરીકે પશ્વિમ બંગાળની રાહત શિબિરોમાં શરણ લીધી. આ દરમિયાન મોટી સંખ્યામાં શરણાર્થીઓ કોલેરામાં સપડાયા. ડોક્ટર મહાલનબિસ આ શરણાર્થીઓ માટે જીવનદાતા બન્યા. તેમણે ORTના ઉપયોગથી કોલેરાથી પીડિત શરણાર્થીઓમાં મૃત્યુદરને 90 ટકા સુધી ઘટાડ્યો. સાથે જ કોલેરાને ફેલાતો પણ રોક્યો.

20મી સદીની મહાન શોધ
ડોક્ટર મહાલનબિસનું સંશોધન જોન્સ હોપકિન્સ મેડિકલ જર્નલ અને લાન્સેટમાં પ્રકાશિત થયા બાદ ORTને દુનિયાભરમાં ORS તરીકેની ઓળખ મળી હતી..ORSને મેડિસિનમાં 20મી સદીની મહાન શોધ તરીકે જાહેર કરાયું હતું. 1994માં તેઓ રોયલ સ્વીડિશ અકેડમી ઓફ સાયન્સીઝનાં વિદેશી સદસ્ય તરીકે ચૂંટાયા હતા. 

ડોક્ટર મહાલનબિસને 2002માં યુનિવર્સિટી ઓફ કોલંબિયા એન્ડ કોરનેલમાં પોલિન પુરસ્કારથી અને 2006માં થાઈલેન્ડ સરકાર તરફથી તેમને પ્રિન્સ મહિડોલ એવોર્ડથી સમ્માનિત કરાયા હતા. ડોક્ટર મહાલનબિસે કોલકાતાનાં ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાઈલ્ડ હેલ્થને પોતાની એક કરોડ રૂપિયાની બચત દાનમાં આપી હતી. જ્યાંથી તેમણે બાળરોગ નિષ્ણાત તરીકેની પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news