એક સમયે જામ સાહેબે પોલેન્ડના સેંકડો બાળકોની કરી હતી મદદ, હવે પોલેન્ડ ચૂકવી રહ્યું છે 'ઋણ'!

હકીકતમાં, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મનીએ 1939માં પોલેન્ડ પર હુમલો કર્યો હતો. જર્મન સરમુખત્યાર હિટલર અને સોવિયેત સરમુખત્યાર સ્ટાલિન વચ્ચે જોડાણ હતું. જર્મન હુમલાના 16 દિવસ પછી સોવિયેત સેનાએ પોલેન્ડ પર પણ હુમલો કર્યો.

એક સમયે જામ સાહેબે પોલેન્ડના સેંકડો બાળકોની કરી હતી મદદ, હવે પોલેન્ડ ચૂકવી રહ્યું છે 'ઋણ'!

ઝી ન્યૂઝ/ગુજરાત: રશિયા અને યુક્રેનના સૈન્ય હુમલાઓ વચ્ચે યુક્રેન છોડી રહેલા ભારતીયોને પડોશી દેશ પોલેન્ડનો મોટો ટેકો મળી રહ્યો છે. પોલેન્ડમાં ભારતીયોને રહેવાની અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પરંતુ તેની પાછળ એક મહત્ત્વપૂર્ણ કારણ છે. ભારતે એક સમયે પોલેન્ડના સેંકડો બાળકોને આશ્રય આપ્યો હતો. જ્યારે પોલેન્ડ પોતે આજ રશિયન હુમલાનો શિકાર બન્યું હતું. વાસ્તવમાં ભારતીય લોકોમાં પરપારિક વિશ્વ કલ્યાણનો વિચાર દરેકના મનમાં વસે છે. પશ્ચિમી દેશ પોલેન્ડે એવો અનુભવ કર્યો કે તે ભાવુક થઈ ગયો અને તેમણે ચોક, ઉદ્યાન, શાળાને ભારતના એક મહારાજાનું નામ આપ્યું. તે હતા, તત્કાલીન જામનગર રાજવી પરિવારના મહારાજા દિગ્વિજયસિંહજી જાડેજા. જર્મની અને રશિયાના હુમલામાં પોલેન્ડની હાલત ખરાબ થઈ હતી, ત્યારે એક નવા છોડનું સિંચન કરીએ તે રીતે જામનગરના રાજવી પરિવારના મહારાજે તેમને સહારો આપ્યો હતો. આ યુદ્ધમાં અનાથ થયેલા પોલેન્ડના લગભગ 1000 બાળકોની વાત કરવામાં આવી રહી છે, જેમને મહારાજા દિગ્વિજય સિંહે ન માત્ર આશ્રય આપ્યો પરંતુ પિતા જેવો પ્રેમ પણ આપ્યો હતો. પોલેન્ડ સરકારે મહારાજા દિગ્વિજય સિંહને મરણોત્તર તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, કમાન્ડર ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિટ એનાયત કર્યો.

વાત છે બીજા વિશ્વયુદ્ધની જ્યારે...
હકીકતમાં, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મનીએ 1939માં પોલેન્ડ પર હુમલો કર્યો હતો. જર્મન સરમુખત્યાર હિટલર અને સોવિયેત સરમુખત્યાર સ્ટાલિન વચ્ચે જોડાણ હતું. જર્મન હુમલાના 16 દિવસ પછી સોવિયેત સેનાએ પોલેન્ડ પર પણ હુમલો કર્યો. બંને દેશોએ પોલેન્ડ પર કબજો કર્યો ત્યારે ભારે વિનાશ સર્જાયો હતો. હજારો સૈનિકો માર્યા ગયા અને મોટી સંખ્યામાં બાળકો અનાથ થયા. તે બાળકોને શિબિરોમાં ખૂબ જ અમાનવીય સ્થિતિમાં રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. બે વર્ષ પછી 1941 માં રશિયાએ આ શિબિરોને પણ ખાલી કરવાનો હુકમનામું બહાર પાડ્યું. ત્યારપછી બ્રિટનની વોર કેબિનેટની બેઠક મળી અને તે વિકલ્પો પર વિચારણા કરવામાં આવી કે કેમ્પમાં રહેતા પોલેન્ડના બાળકો માટે શું કરી શકાય.

No description available.

દિગ્વિજયસિંહ જાડેજાની ઉદારતા
બ્રિટિશ વોર કેબિનેટની બેઠકમાં નવાનગરના રાજા દિગ્વિજયસિંહજી જાડેજા પણ હાજર રહ્યા હતા. યાદ રહે કે આજનું ગુજરાતનું જામનગર ત્યારે નવાનગર તરીકે ઓળખાતું હતું. ભારતમાં ત્યારે અંગ્રેજોનું શાસન હતું અને જામનગર બ્રિટિશ રજવાડાનું રાજ્ય હતું. દિગ્વિજય સિંહે કેબિનેટ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે તેઓ અનાથ પોલિશ બાળકોની સંભાળ લેવા આતુર છે અને તેમને નવાનગર લાવવા માંગે છે. તેમના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી પણ મળી અને બ્રિટિશ સરકારે મહારાજાને વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

No description available.

બ્રિટિશ સરકાર, બોમ્બે પોલેન્ડ કોન્સ્યુલેટ, રેડ ક્રોસ અને રશિયા હેઠળ પોલેન્ડ આર્મીના સંયુક્ત પ્રયાસ દ્વારા બાળકોને ભારત મોકલવામાં આવ્યા હતા. 1942માં 170 અનાથ બાળકોનું પ્રથમ બાળક જામનગર પહોંચ્યું. આ રીતે લગભગ 1000 લાચાર પોલેન્ડ બાળકો અલગ-અલગ બેચમાં ભારત આવ્યા. મહારાજા દિગ્વિજિય સિંહજીએ જામનગરથી 25 કિમી દૂર બાલાચડી ગામમાં આશ્રય આપ્યો હતો. મહારાજાએ બાળકોને એમ કહીને સાંત્વના આપી કે હવે તે બાળકોના પિતા છે.

No description available.

બાલાચડીમાં દરેક બાળકને રૂમમાં અલગ પથારી આપવામાં આવી હતી. ત્યાં ભોજન, વસ્ત્રો અને આરોગ્યની સગવડોની સાથે સાથે તેમના માટે રમવા માટેની સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી. પોલેન્ડે બાળકો માટે ફૂટબોલ કોચ મોકલ્યો. બાળકોને અહીં એકલું ન લાગે તેના માટે તેમણે એક પુસ્તકાલય બનાવ્યું અને પોલિશ ભાષાના પુસ્તકો રાખવામાં આવ્યા. અહીં બાળકો વચ્ચે પોલિશ તહેવારો પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતા હતા. આ તમામ ખર્ચ મહારાજા પોતે ઉઠાવતા હતા, તેમણે પોલિશ સરકાર પાસેથી ક્યારેય કોઈ રૂપિયો પણ લીધો નહોતો. 

મહારાજાની મહાનતાને ભૂલી શક્યું નથી પોલેન્ડ 
1945માં પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પોલેન્ડનું સોવિયેત સંઘમાં વિલીનીકરણ થયું હતું. આગામી વર્ષે પોલેન્ડની સરકારે ભારતમાં રહેતા બાળકોના પરત લાવવાની વિચારણા કરી હતી. તેમણે મહારાજા દિગ્વિજ્ય સિંહ સાથે વાત કરી હતી. મહારાજાએ પોલેન્ડ સરકારને કહ્યું કે તમારા બાળકો અમારી પાસે અનામત છે, તમે ઈચ્છો ત્યારે તેમને લઈ જઈ શકો છો. જ્યારે મહારાજા સંમત થયા, ત્યારે બાળકો પાછા ફર્યા હતા.

No description available.

43 વર્ષ બાદ વર્ષ 1989માં પોલેન્ડ સોવિયત સંધથી અલગ થઈ ગયું. સ્વતંત્ર પોલેન્ડની સરકારે રાજધાની વોરસોના એક ચોકનું નામ દિગ્વિજય સિંહના નામ પર  રાખવામાં આવ્યું. જોકે, મહારાજાનું નિધન 20 વર્ષ પહેલા 1966માં થઈ ચૂક્યું હતું. પછી 2012માં વોરસોના એક પાર્કનું નામ પણ તેમના નામ પર રાખવામાં આવ્યું. આગામી વર્ષે 2013 માં વોર્સોના બીજા સ્ક્વેરનું નામ બદલીને 'ગુડ મહારાજા સ્ક્વેર' રાખવામાં આવ્યું. એટલું જ નહીં, મહારાજા દિગ્વિજય સિંહજી જાડેજાને રાજધાનીની લોકપ્રિય બેડનારસ્કા હાઇસ્કૂલના માનદ આશ્રયદાતાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પોલેન્ડે મહારાજાને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન, કમાન્ડર ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિટ પણ આપ્યું હતું.

No description available.

જ્યારે વૃદ્ધાવસ્થામાં બાલાચડી પહોંચ્યા પેલા 'બાળકો'
2013માં પોલેન્ડથી નવ વડીલોનું જૂથ બાલાચડી આવ્યું હતું. જેમના બાળપણના પાંચ વર્ષ બાલાચડીમાં વીત્યા. અહીં આવ્યા પછી તે ભાવુક થઈ ગયા. જે લાઈબ્રેરીમાં ક્યારેક બેસીને ભણતા હતા, તે આજે સૈનિક સ્કૂલમાં ફેરવાઈ ગયું છે. અહીં જ્યારે તેમની નજર તેમની યાદમાં બનેલા થાંભલા પર પડી ત્યારે તેમની આંખો છલકાઈ હતી. ભારતમાં ક્રિકેટની રણજી ટ્રોફી મહારાજા દિગ્વિજયસિંહજી જાડેજાના પિતા મહારાજા રણજીતસિંહજી જાડેજાના નામે રમાય છે. રણજીત સિંહજી એક વ્યાવસાયિક ક્રિકેટર હતા. અંગ્રેજોએ 1934માં તેમના નામે રણજી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. તે ભારતની સૌથી મોટી સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news