Maharshtra Political Crisis : વધુ એક શિવસેનાના ધારાસભ્યને સુરતથી ગુવાહાટી લઈ જવાયા

Maharshtra Political Crisis મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ગઈકાલે સુરત પહોંચેલા ધારાસભ્ય સંજય રાઠોડને પણ આજે ગુવાહાટી લઈ જવાયા છે 

Maharshtra Political Crisis : વધુ એક શિવસેનાના ધારાસભ્યને સુરતથી ગુવાહાટી લઈ જવાયા

ચેતન પટેલ/સુરત :મહારાષ્ટ્રના રાજકીય સંકટનુ એપિ સેન્ટર સુરત બન્યુ છે. જેટલી ઉથલપાથલ હાલ મહારાષ્ટ્રમાં થઈ રહી છે, તેટલી જ સુરતમાં પણ થઈ રહી છે. કારણ કે, બાગી નેતાઓ મહારાષ્ટ્રથી વાયા સુરત થઈને ગુવાહાટી જઈ રહ્યા છે. ત્યારે વધુ એક શિવસેનાના ધારાસભ્યને સુરતથી ગુવાહાટી લઈ જવાયા છે. ધારાસભ્ય સંજય રાઠોડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ લઈ જવાયા છે. 

ધારાસભ્ય સંજય રાઠોડને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સુરતની લા મેરેડિયન હોટલથી સુરત એરપોર્ટ લઈ જવાયા હતા. સુરત એરપોર્ટ પર સંજય રાઠોડને કારમાં પોલીસ કાફલા વચ્ચે લઈ જવાયા હતા. ત્યારે સંજય રાઠોડને સુરતથી ગુવાહટી લઈ જઈ શકાય તેવી શક્યતા છે. સંજય રાઠોડને હોટલ રવાના કરાયા ત્યારે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમને ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ગુવાહાટી લઈ જવાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આજે ગુરુવારે વધુ બે ધારાસભ્યો સુરત આવશે અને તેમને પણ મોડી રાતે અહીથી ગુવાહાટી લઈ જવાશે તેવુ સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યુ છે. 

ઉલ્લેખનીય છે કે, સુરતની લા મેરિડિયન હોટલમાં શિવસેનાના હાલ એક ધારાસભ્ય રોકાયા છે. મોડી રાત્રે સુરત એરપોર્ટ પર અન્ય 4 ધારાસભ્ય આવ્યા હતા, જેઓને બારોબાર ગુવાહાટી લઈ જવાયા હતા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 23, 2022

હાલ મહારાષ્ટ્રથી જે રીતે શિવસેનાના ધારાસભ્યોને સુરતની લા મેરેડિયન હોટલમાં લાવવામાં આવી રહ્યાં છે તે જોતા હોટલ અને એરપોર્ટ પાસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હોટલના કર્મચારીઓ પાસેથી તથા અન્ય લોકો પાસેથી પણ આઈકાર્ડ માંગવામાં આવી રહ્યા છે અને તેના બાદ જ પ્રવેશ આપવામા આવી રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news