ચોંકાવનારો ખુલાસો: પારિવારિક તકરારમાં IB ઓફિસરે પત્નીની હત્યા કરાવી, ખૂલ્યું મોટું ષડયંત્ર

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં શ્રીનંદનગર વિભાગ -2 આવેલ છે. તાજેતરમાં એફ બ્લોકના એક મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

ચોંકાવનારો ખુલાસો: પારિવારિક તકરારમાં IB ઓફિસરે પત્નીની હત્યા કરાવી, ખૂલ્યું મોટું ષડયંત્ર

મૌલિક ધામેચા/ અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર વિભાગ 2 માંથી મહિલાનો મૃતદેહ મળ્યા બાદ હત્યાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મહિલાના હત્યા પાછળ પતિનું ષડયંત્ર હોવાનું ખુલતા ઝોન 7 એલસીબી ટીમે એક આરોપીની ધરપકડ કરી છે. પરંતુ હત્યાના ષડયંત્રમાં હજી ફરાર ત્રણ આરોપીઓને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં શ્રીનંદનગર વિભાગ -2 આવેલ છે. તાજેતરમાં એફ બ્લોકના એક મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માતે મોત નોંધી આ અંગે તપાસ શરૂ કરતાં ડોક્ટરના રિપોર્ટ માં મહિલાની હત્યા થઈ હોવાનું ફલિત થયું. જેને પગલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ માટે ટીમો કામે લાગી. આ મહિલાની હત્યા કરનારા શખ્સોને પકડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી પોલીસે પ્રાથમિક તબક્કે અલગ અલગ થીયરી તપાસ કરતા સોસાયટીમાંથી પસાર થતા બે શકમંદો નજરે પડ્યા. 

ત્યારબાદ અલગ-અલગ સીસીટીવી ફૂટેજ આધારે આ બંને પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાનું જાણવા મળતા પોલીસે વાહન ના આધારે આરોપીને પકડવા ટીમ તેલંગાણા રવાના કરી. પોલીસે પલ્સર બાઈક ક્યાંથી ખરીદયુ હતું તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે ભાડેથી વાહન આપતા ઇન્કમટેક્સના એક વેપારી પાસેથી આ વાહન ભાડેથી લેવામાં આવ્યું હતું. જેમાં ખલીલુદ્દીન સૈયદે વાહન ભાડેથી લીધું હોવાથી પોલીસે તેને તપાસ કરતા હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો.

ઝોન 7 એલસીબી ટીમે ખલીલ ઉદ્દીન સૈયદની પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી કે મૃતક મનિષાબેન ના પતિએ  હત્યા  અંગે કાવતરું ઘડ્યું હતું અને ખલીલઉદ્દીન સાથે જૂનો પરિચય હોવાથી મનિષાબેન ના પતિ એજ આ કામ તેમને સોંપ્યું હતું. 

મહત્વનું છે કે મૃતક મનિષાબેન ના પતિ ઈન્ટેલિજન્ટ બ્યુરોમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને પારિવારિક તકરાર ના કારણે મનિષાબેનનું કાસળ કાઢી નાખવા હત્યાનો પ્લાનિંગ કરવામાં આવ્યો હતો. મનિષાબેનના પતિ છેલ્લા દસેક વર્ષથી મધ્યપ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવે છે અને ખરીદીને પોતાના કામ કઢાવવા માટે 15000 રૂપિયા પણ આપ્યા હોવાનું આરોપી ખલીલઉદ્દીનની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું. 

જોકે આ હત્યા કરવા પાછળ કારણ શું હોય તે અંગે પોલીસે તપાસ કરતા ખલીલ ઉદ્દીને કબૂલ્યું હતું કે આઇબી ઓફીસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા સાથે છેલ્લા ઘણા સમયથી પરિચયમાં છે અને મૂળ બંને તેલંગાણાના હોવાથી પારિવારિક તકરારનો અંત લાવવા ખીલીલુદીનને પત્ની મનીષાબેનનું કાસળ કાઢી નાખવા કહ્યું હતું. જેના કારણે ખરીદીને પોતાને બે સાગરીતો સાથે દસ દિવસથી અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં મનીષા બેનની રેકી કરી તમામ ગતિવિધિથી પરિચિત થઈ હત્યાને અંજામ આપ્યો હતો.

હાલ તો હત્યા અને ગુનાહિત ષડયંત્રના કેસમાં ચાર આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાંથી એક જ આરોપી તેલંગાણાથી પકડાયો છે. જ્યારે આઈબી પતિ ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા અને હત્યામાં સંડોવાયેલ સતીશ અને જાવેદ નામના બંને શખ્સોની પોલીસ ધરપકડ કરી વધુ ખુલાસા હત્યા કેસમાં કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news