સુરતના જાહેર શૌચાલયોમાં જતા પહેલા સો વાર વિચારજો, અંદર થાય છે ગંદુકામ

સુરતમા જાહેર શૌચાલય હવે બદકામ કરવાના સેન્ટર બની રહ્યા છે. સુરતમાં જાહેર શૌચાલયો પણ હવે સલામત નથી રહ્યાં. જાહેર શૌચાલયનો ઉપયોગ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં થઈ રહ્યો છે. જાહેર શૌચાલયમાં જતા તરુણો પણ હવે સલામત નથી રહ્યાં. સુરતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 
સુરતના જાહેર શૌચાલયોમાં જતા પહેલા સો વાર વિચારજો, અંદર થાય છે ગંદુકામ

ચેતન પટેલ/સુરત :સુરતમા જાહેર શૌચાલય હવે બદકામ કરવાના સેન્ટર બની રહ્યા છે. સુરતમાં જાહેર શૌચાલયો પણ હવે સલામત નથી રહ્યાં. જાહેર શૌચાલયનો ઉપયોગ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં થઈ રહ્યો છે. જાહેર શૌચાલયમાં જતા તરુણો પણ હવે સલામત નથી રહ્યાં. સુરતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 

સુરતમાં 15 વર્ષના તરૂણ સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યુ છે. સુરતના સલાબતપુરામાં 20 વર્ષના યુવકે 15 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ છે. 15 વર્ષીય કિશોર સલાબતપુરામાં આવેલ સુલભ શૌચાલયમાં ન્હાવા ગયો હતો, તે દરમિયાન સાહેલ ઉર્ફે સન્ની દંતાણી નામનો યુવક ત્યાં આવી ચઢ્યો હતો. તે જબરદસ્તીથી કિશોરના કેબિનમાં ઘૂસ્યો હતો, અને તેણે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. ત્યારે કિશોરે આ વિશે પોતાના પરિવારજનોને વાત કરતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સલાબતપુરા પોલીસે યુવકની ધરપકડ કરી છે. 

7 મહિના પહેલા પણ આવુ બન્યુ હતુ
સુરતના રાંદેરમાં એક કિશોરે 7 વર્ષના માસૂમ સાથે ટોયલેટમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. શ્રમજીવી પરિવારમાંથી આવતા માસુમે આ વિશે પોતાના પરિવારને જાણ કરી હતી. એટલું જ નહીં, પણ માસુમ દીકરાને પોતાની વાસનાનો ભોગ બનાવનાર કિશોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news