સુરતઃ ડભોલી સ્વામીનારાયણ મંદિરના મહંત સામે બળાત્કારની ફરિયાદ નોંધાઇ 

સુરતઃ ડભોલી સ્વામીનારાયણ મંદિરના મહંત સામે બળાત્કારની ફરિયાદ નોંધાઇ 

સુરતઃ સુરતમાં લંપટ સાધુની કામલીલા બહાર આવી છે. ડભોલી સ્વામીનારાયણ મંદિરના મહંત સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ થઇ છે. 24 વર્ષીય યુવતી સાથે લંપટ સ્વામીએ બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ. યુવતીની માતાની સારવાર માટે રૂપિયા આપવાના બહાને સ્વામીએ યુવતી સાથે શારિરિક સબંધ બાંધ્યો હતો. યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચરનાર સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે લંપટસ્વામીની અટકાયત કરી છે. ભોગ બનનાર યુવતીને મેડિકલ એકઅપ માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news