સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આગામી 4 દિવસ ભારે, રાહત કમિશ્નર સહિત તંત્રની તડામાર તૈયારીઓ

રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર તા.૧૪/૦૯/૨૦૨૧ ના રોજ ૧૬.૦૦ કલાકે જીસ્વાન ૫ર યોજવામાં આવ્યું હતું. રાહત નિયામક અને નાયબ સચિવ, એસ.ઇ.ઓ.સી દ્વારા વેબીનારમાં ઓનલાઈન તેમજ ઓફલાઇન હાજર રહેલા તમામ અધિકારીઓનું સ્વાગત કરી મીટીંગની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી  રાજયમાં ૨૩ - જિલ્લાના, ૮૫ -તાલુકામાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૌથી વધારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૫૧ એમ.એમ. વરસાદ નોંધાયેલ છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૪/૦૯/૨૦૨૧ અંતિત ૫૮૧.૬૧મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૬૯.૨૪% છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આગામી 4 દિવસ ભારે, રાહત કમિશ્નર સહિત તંત્રની તડામાર તૈયારીઓ

ગાંધીનગર : રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર તા.૧૪/૦૯/૨૦૨૧ ના રોજ ૧૬.૦૦ કલાકે જીસ્વાન ૫ર યોજવામાં આવ્યું હતું. રાહત નિયામક અને નાયબ સચિવ, એસ.ઇ.ઓ.સી દ્વારા વેબીનારમાં ઓનલાઈન તેમજ ઓફલાઇન હાજર રહેલા તમામ અધિકારીઓનું સ્વાગત કરી મીટીંગની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી  રાજયમાં ૨૩ - જિલ્લાના, ૮૫ -તાલુકામાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૌથી વધારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૫૧ એમ.એમ. વરસાદ નોંધાયેલ છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૪/૦૯/૨૦૨૧ અંતિત ૫૮૧.૬૧મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૬૯.૨૪% છે.

AHMEDABAD માં માત્ર મંદિરોમાં જ ચોરી કરતી ગેંગનો ક્રાઇમબ્રાંચે કર્યો પર્દાફાશ
        
IMDના અઘિકારી દ્વારા જણાવેલ છે કે, રાજયમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં તા.૧૪/૦૯/૨૦૨૧ થી તા.૧૬/૦૯/૨૦૨૧ એમ ત્રણ દિવસ જુનાગઢ, રાજકોટ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. દેવભુમી ઘ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. તા.૧૭/૦૯/૨૧ થી  તા.૧૮/૦૯/૨૦૨૧ સુઘી ઉતર ગુજરાતના જિલ્લાઓ પૈકી બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં તથા મોરબી, જામનગર, દેવભુમી ઘ્વારકામાં અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. આગામી તા.૧૬/૦૯/૨૦૨૧ થી તા.૧૮/૦૯/૨૦૨૧ સુઘી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. તા.૧૮/૦૯/૨૦૨૧ થી તા.૧૯/૦૯/૨૦૨૧ સુઘી બનાસકાંઠા, પાટણ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRF ની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના અપાઈ  જાય તેમ જણાવેલ છે.

કૃષિ વિભાગ દ્વારા જણાવેલ છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૮૨.૮૩ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૧૩/૦૯/૨૦૨૧ સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૫.૧૨ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૬.૮૨% વાવેતર થયેલ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારી દ્વારા જણાવેલ છે કે,સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૭૬,૫૫૮એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના  ૫૨.૮૫% છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવેલ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૩,૯૮,૭૫૩ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૭૧.૫૩% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૬૫જળાશય, એલર્ટ ૫ર કુલ- ૦૫ જળાશય તેમજ વોર્નીગ ૫ર-૧૩ જળાશય છે.

એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૧૩ ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત, ૧-નવસારી, ૨-રાજકોટ, ૧-ગીરસોમનાથ, ૧-અમરેલી, ૧-ભાવનગર, ૧-જુનાગઢ, ૨-જામનગર, ૧-બોટાદ, ૧-મોરબી ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને ૧-ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. વઘુમાં ભટીંડા પંજાબથી આવેલ ૦૫ ટીમ પૈકી ૧- રાજકોટ,૧-પોરબંદર,૧- દેવભુમી ઘ્વારકા,૨-જામનગર  ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. વધુમાં ઇસરો,એસ.ડી.આર.એફ.,ફોરેસ્ટ વિભાગ,આરોગ્ય વિભાગ, ફિશરીઝ વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, જી.એમ.બી., શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી.,ફાયર વિભાગ, કોસ્ટગાર્ડ, બાયસેગતથા માહીતી ખાતાના અઘિકારીઓ મીટીંગમાં હાજર રહેલ અને આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના અંગે IMD ની આગાહી ધ્યાને લઇ રાહત બચાવના પગલાં અંગે તમામ વિભાગોની તૈયારી અંગે ચર્ચા/સમીક્ષા કરવામાં આવી.

રાહત કમિશનર અને અધિક સચિવ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાવાળા ઉ૫રોકત જિલ્લાઓમાં  રાહત બચાવ અંગે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી શકાય તે રીતે સંપૂર્ણ એલર્ટ રહેવા લાઇન વિભાગના હાજર અઘિકારીઓને સૂચના આ૫વામાં આવી હતી. વઘુમાં રાહત કમિશનર ઘ્વારા સૈારાષ્ટ્ર તેમજ અન્ય ઝોનમાં ડેમ ઓવરફલો થવાની વોર્નિગ સિંચાઇ વિભાગ ઘ્વારા એડવાન્સ મોકલવામાં આવે તથા સંબંઘિત જિલ્લામાં ૫ણ એલર્ટની વોર્નિગ મોકલવા સિંચાઇ વિભાગના હાજર અઘિકારીને સૂચના આ૫વામાં આવી.  રાહત નિયામક અને નાયબ સચિવ દ્વારા મીટીંગમાં હાજર રહેલ અધિકારીઓનો આભાર માની મીટીંગ પૂર્ણ જાહેર કરવામાં આવી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news