Rajkot: જેતપુરની ભાદર નદીના નારપાટમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત

જેતપુરની ભાદર નદીના નારપાટમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત થયા છે. 
 

Rajkot: જેતપુરની ભાદર નદીના નારપાટમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત

નરેશ ભાલિયા, રાજકોટઃ રાજકોટ જિલ્લાના જેતપુરના જોડિયા હનુમાન પાસેથી ભાદર નદીના નારપાટમાંથી ત્રણ લાશ મળી આવી છે. ત્રણ મિત્રો નદીમાં ન્હાવા ગયા બાદ ડૂબી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલા અહીં એક લાશ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ વધુ બે લાશ મળી આવી છે. આમ કુલ ત્રણ મિત્રોના મોત થયા છે. 

પ્રાપ્ત વિગત અનુસાર જેતપુરના જોડિયા હનુમાન પાસે ભાદર નદીના નારપાટમાં સાંજે એક તરતી લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ફાયર જવાનો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્રણ મૃત્રો ન્હાવા પડ્યા હતા. જેમાંથી એક ડૂબી જતા બીજા બન્ને તેને બચાવવા જતા ડૂબી ગયા છે. આ રીતે ત્રણેયના મોત થયા છે. 

ત્રણેય મૃતદેહને કબજે લઈ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે જેતપુર સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા છે. હાલ તો આ યુવકો કોણ છે અને ક્યાંથી આવ્યા હતા તેની કોઈ માહિતી મળી નથી. પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news