GUJARAT CORONA UPDATE: ફરીથી રાજ્યમાં કોરોનાનું જોખમ વધ્યું, સૌથી વધુ અમદાવાદમાં નવા કેસ નોંધાયા

હાલ રાજ્યમાં કુલ 101 એક્ટિવ કેસ છે. જો કે એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ 101 નાગરિકો સ્ટેબલ છે. 12,13,127 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.

GUJARAT CORONA UPDATE: ફરીથી રાજ્યમાં કોરોનાનું જોખમ વધ્યું, સૌથી વધુ અમદાવાદમાં નવા કેસ નોંધાયા

ગાંધીનગર: ગુજરાતમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે તો બીજી તરફ 32 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,13,127 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યાં છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીનાં કુલ 62,733 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

હાલ રાજ્યમાં કુલ 101 એક્ટિવ કેસ છે. જો કે એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ 101 નાગરિકો સ્ટેબલ છે. 12,13,127 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી નિપજ્યું જે રાહતના સમાચાર કહી શકાય. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 2 અને આણંદમાં 1 અને ગાંધીનગર 1 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કોરોના કેસ નોંધાયો છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1191 નાગરિકોને રસીનો પ્રથમ અને 12238 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 277 ને રસીનો પ્રથમ અને 2071 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 9927 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના નાગરિકો પૈકી 4817 ને રસીનો પ્રથમ અને 32212 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 62,733 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,67,81,890 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news