વિદ્યા સહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5% નો લાભ મળશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

વિધવા બહેનોને વિદ્યા સહાયકની ભરતીમાં લાભ મળે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે. 

વિદ્યા સહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5% નો લાભ મળશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની જાણકારી રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને આપી છે. જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને કહ્યું કે વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5 ટકાનો લાભ આપવામાં આવશે. 

રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ આપેલી માહિતી પ્રમાણે વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5 ટકાનો લાભ આપવામાં આવશે. ટેટ-1, ટેટ-2 પાસ વિધવા બહેનોને વિદ્યાસહાયક ભરતીમાં વધારાના 5 ટકા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. TET પરીક્ષામાં મેળવેલ ગુણના 50 ટકા અને શૈક્ષણિક લાયકાતના આધારે મેળવેલ ગુણના 50 ટકાને ધ્યાને લઈને વિદ્યાસહાયકનું મેરીટ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર કરવામાં આવેલા કુલ મેરીટમાં વિધવા ઉમેદવારોને વધારાના 5 ટકા ગુણ મેરીટમાં ઉમેરવામાં આવશે. 

— Jitu Vaghani (@jitu_vaghani) October 4, 2022

વિધવા બહેનોને નોકરી મળે તે માટે જાહેરાત
રાજ્ય સરકાર દ્વારા વિધવા બહેનોને સરકારી નોકરી મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યા પ્રમાણે આગામી વિદ્યા સહાયક ભરતીથી તેનો અમલ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news