થોડા પણ વધારાના પૈસા હોય તો તેનો લોકહિતમાં ઉપયોગ કરવો જોઈએ: નારાયણ મૂર્તિ

''વીટ  એન્ડ વિઝડમ ઓફ નારાયણ મૂર્તિ' આત્માકથામાં તેમના એક ઉદ્યોગ સાહસિક, લિડર,અને લોકકલ્યાણના કાર્ય કરતા વ્યક્તિ તરીકેના સદગુણોનું પ્રતિબિંબ પડે છે.

થોડા પણ વધારાના પૈસા હોય તો તેનો લોકહિતમાં ઉપયોગ કરવો જોઈએ: નારાયણ મૂર્તિ

અમદાવાદ: એક ભવ્ય સમારંભમાં 'યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન' (વાયફ્લો) અમદાવાદ ચેપ્ટર દ્વારા ભારતીય આઈ.ટી ઇન્ડસ્ટ્રીના પિતામહ તરીકે જાણીતા ઇન્ફોસિસના કો- ફાઉન્ડર 'નારાયણ મૂર્તિ' સાથે વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. જેમાં ''વીટ એન્ડ વિઝડમ ઓફ નારાયણ મૂર્તિ' વિષય દ્વારા તેમની જીવન યાત્રા પર સંવાદ કરવામાં આવ્યો હતો.

'નારાયણ મૂર્તિ'એ કહ્યું કે ભારત દેશના વધુમાં વધુ યુવાઓ ઉદ્યોગ સાહસિક બને અને સ્વરોજગાર તરફ વળે તો આ દેશમાંથી ગરીબી દૂર થઇ શકે છે. જરૂરિયાતમંદ લોકોને સહાય કરતા શીખવું જોઈએ જો તમારી પાસે થોડા પણ વધારાના પૈસા હોય તો તેનો લોકહિતમાં ઉપયોગ કરવો જોઈએ. 

''વીટ  એન્ડ વિઝડમ ઓફ નારાયણ મૂર્તિ' આત્માકથામાં તેમના એક ઉદ્યોગ સાહસિક, લિડર,અને લોકકલ્યાણના કાર્ય કરતા વ્યક્તિ તરીકેના સદગુણોનું પ્રતિબિંબ પડે છે.

આ વાર્તાલાપમાં તેઓએ તેમના આટલા વર્ષના અનુભવો અને શિખ વિષે આમંત્રિત મહેમાનોને જણાવ્યું, તેમજ ગમેતેવા વિપરીત સંજોગોમાં સાહસ અને ઉત્સાહ સાથે વ્યક્તિએ હંમેશા આગળ વધવા  માટેના ગુણો કેળવવા જોઈએ .  
 
આ પ્રસંગે 'યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન'  (વાયફ્લો) અમદાવાદના ચેરપર્સન "શ્રિયા દામાણી" એ જણાવ્યુ કે 'નારાયણ મૂર્તિ' સાથેનો વાર્તાલાપ 'વાયફલો'ના મેમ્બર્સ અને આમંત્રિત મહેમાનો માટે ખૂબજ ઉપયોગી અને પ્રેરણા દાયક રહેશે, તેમજ ભવિષ્યમાં વાયફ્લો  દ્વારા યુવા મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા વ્યાવસાયિકો માટે આ પ્રકારના વધુ વાર્તાલાપ અને સેમિનારનું આયોજન કરવામાં આવશે." અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને વાયફ્લોના સભ્યોએ આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news