Office માં કલાકો સુધી કામ કરતા લોકો સાવધાન! હાર્ટ એટેકના ખતરાની WHO એ આપી ચેતવણી

ઓફિસોમાં કલાકો સુધી કામ કરવું તમને પડી શકે ભારે, હૃદય હુમલાનો ખતરો વધી શકે. આ અમે નથી કહી રહ્યાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ ચેતવણી આપી છે. શું કહ્યું છે WHO એ વાંચો સમગ્ર અહેવાલ.

Office માં કલાકો સુધી કામ કરતા લોકો સાવધાન! હાર્ટ એટેકના ખતરાની WHO એ આપી ચેતવણી

નવી દિલ્લીઃ આજકાલની દુનિયામાં કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા લોકોની સંખ્યા વધી છે. કોર્પોરેટ દુનિયામાં લોકોએ સતત ઓફિસોમાં કામ કરવું પડે છે. તેમાં પણ મોટા ભાગના લોકોએ પોતાના કામ કોમ્પ્યુટર સામે બેસી કરવાના હોય છે. કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા લોકોની આવક તો સારી હોય છે, પરંતુ સ્વાસ્થ્ય મામલે તેઓ બેદરકારી દાખવતા હોય છે. 8-9 કલાકો સુધી ઓફિસોમાં સતત કામ કરતા લોકોમાં અનેક પ્રકારની બીમારીઓ ઉદભવે છે. એક રિપોર્ટ મુજબ, કલાકો સુધી કામ કરતા લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધુ રહે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના એક અહેવાલ મુજબ, લાંબા સમય સુધી કામના કલાકોથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ખૂબ વધી જાય છે. જેને કારણે, સમગ્ર વિશ્વમાં લાખો લોકોના મોત થઈ રહ્યાં છે. એન્વાયરનમેન્ટ ઈન્ટરનેશનલમાં પ્રકાશિત WHO અને આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)ના અભ્યાસ મુજબ, વર્ષ 2016માં લાંબા સમય સુધી કામના કરવાથી સ્ટ્રોક અને હૃદયની બીમારીથી 7,45,000 લોકોના મોત થયા. આ આંકડામાં 29 ટકાનો વધારો નોંધાયો છે. ગત મહિને WHOએ આ રિપોર્ટ બહાર પાડ્યો હતો.

કોરોના મહામારીને કારણે મોટા ભાગના લોકો છેલ્લા 1 વર્ષથી ઘરેથી કામ કરી રહ્યા છે. ઘરેથી કામ કરવાને કારણે લોકોનો સ્ક્રિન ટાઈમ વધ્યો છે. WHO અને ILOના અહેવાલો અનુસાર, કામના ભારણથી પુરુષોને સૌથી વધુ અસર થઈ છે. રિપોર્ટ અનુસાર, 45થી 74 વર્ષની વય વચ્ચે દર અઠવાડિયે 55 કલાક અથવા તેથી વધુ સમયથી કામ કરતા પુરુષોમાં મૃત્યુઆંક 72% જેટલો હતો.

ડોક્ટરો પણ માનસિક તણાવ અને હૃદયની બીમારી વચ્ચેના સંબંધ જણાવે છે. મેડિકવર હોસ્પિટલ્સ હૈદરાબાદના કાર્ડિએક ઈલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ ડો.કુમાર નારાયણે જણાવ્યું કે આજકાલ ન માત્ર કામના કલાકો લાંબા થયા છે, પરંતુ કામથી તણાવ પણ વધ્યો છે. વધુમાં કહ્યું કે કામનો સમય વધી જવાનો કારણે તેનું ખરાબ અસર શરીર પર પડે છે. આ કારણે ખાવા-પીવાની ખરાબ આદત પડી જાય છે. સાથે જ ધુમ્રપાન(SMOKING), નિંદર પૂરી ન થવી(INSOMNIA) અને સુસ્તી(LAZINESS) જેવી સમસ્યાઓ વધી જાય છે. આ તમામ શરીર માટે હાનિકારક છે.

લોંગ વર્કિંગ આવર્સની અસર માનસિક રૂપથી વધુ પડી રહી છે. કામના તણાવને કારણે અનેક લોકો ડિપ્રેશનનો પણ શિકાર બને છે.મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલના કાર્ડિયોલોજીના નિદેશક અને HOD ડો.આર.જયસ્વાલે કહ્યું કે નોકરીની અનિશ્ચિતતા અને લોંગ વર્કિંગ આવર્સને કારણે લોકોમાં તણાવ વધ્યો છે. સમય સાથે વર્કિંગ આવર્સ વધવાની સાથે જ હાર્ટ એટેકની આશંકા વધી જાય છે. ખાસ કરીને તે લોકોમાં આ અસર જોવા મળે છે જેઓ ધુમ્રપાન કરે છે અને કસરત નથી કરતા. ચેન્નઈના કાર્ડિયેક ઈલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ વિભાગના ડો.ઉલ્હાસ પાંડુરંગીએ કહ્યું કે તણાવનું દિલ પર ભારે અસર પડે છે. એ સ્પષ્ટ છે કે લાંબા સમય સુધી કામ કરવું હૃદયની બીમારીઓને આમંત્રણ છે. આ ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરને બરાબર છે.

હાલની સ્થિતિને જોતા મહામારીથી બચાવ માટે વર્ક ફ્રોમ હોમ દરેક લોકોની જરૂરિયત બની ગયું છે. તેવામાં આરોગ્ય વિશેષજ્ઞો લોકોને કામ વચ્ચે સમય કાઢીને પોતાના પર ધ્યાન દેવાની સલાહ આપી છે.સ્ટ્રોક અને હૃદયની બીમારીઓથી બચવા માટે એક્ટિવ લાઈફસ્ટાઈલ અપનાવવી જરૂરી છે.

ડોક્ટરો ફેટ્સ અને વધુ નમકવાળું ભોજન ન લેવા સલાહ આપે છે. આ સિવાય લોકોએ ઓછા ફાઈબરવાળો ખોરાક, જંક અને ફાસ્ટ ફુડથી બચવું જોઈએ. એટલું જ નહીં, ધુમ્રપાન ઓછું કરવું જોઈએ. જો તમને ધુમ્રપાનની લત છે તો તમારે તેને ધીરે-ધીરે છોડવી પડશે. વર્ક ફ્રોમ હોમ હોય તો પણ ઘરે કસરત કરવી જરૂરી છે. કસરત કરવાથી તમે શારીરિક અને માનસિક રીતે ફીટ રહેશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news