અખિલેશ વિરુદ્ધ ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, આચાર સંહિતા ઉલ્લંઘનનો આરોપ

ભાજપનો આરોપ છે કે મતદાન બાદ 100 મીટરની અંદર રહી મીડિયા સાથે વાત કરી અખિલેશ યાદવે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.

અખિલેશ વિરુદ્ધ ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, આચાર સંહિતા ઉલ્લંઘનનો આરોપ

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન અને ચોથા તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન અખિલેશ યાદવ વિરુદ્ધ આચાર સંહિતા ભંગનો કેસ દાખલ થઈ શકે છે. અખિલેશ યાદવ પર ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈને એક ફરિયાદ ચૂંટણી પંચમાં કરવામાં આવી છે. 

ભારતીય જનતા પાર્ટીએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં ભાજપનો આરોપ છે કે મતદાન બાદ 100 મીટરની અંદર રહીને મીડિયા સાથે વાત કરી અખિલેશ યાદવે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. 

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, પત્ની ડિમ્પલ યાદવની સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટી પ્રમુખ અને કરહલથી પાર્ટી ઉમેદવાર અખિલેશ યાદવે જસવંતનગરના એક મતદાન કેન્દ્ર પર મત આપ્યો હતો.

ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાના ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ આ તબક્કા માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન અખિલેશ યાદવે સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અખિલેશ યાદવે કહ્યું કે યુપીના મુખ્યમંત્રીનું કામ નામ બદલવાનું છે. હવે એક અંગ્રેજી અખબારે તેનું નામ બદલીને બાબા બુલડોઝર કરી દીધું છે. અખિલેશે ટોણો માર્યો કે, જનતાના મત પડતાં જ તેમનું બુલડોઝર મેઈન્ટેનન્સમાં ગયું છે.

ભાજપ પર આરોપ લગાવતા અખિલેશ યાદવે કહ્યું કે ભાજપના નેતાઓના  જુઠ્ઠાણા બદલ્યા નથી. ભાજપના નાના નેતાઓ નાના જુઠ્ઠાણા બોલે છે, મોટા નેતાઓ મોટા જુઠ્ઠાણા બોલે છે અને મોટા નેતાઓ સફેદ જુઠ્ઠ બોલે છે. અખિલેશ યાદવે ખેડૂતોને કહ્યું કે ન તો તમને ખાતર મળ્યું કે ન ડીએપી. ખાતરની બોરીમાંથી પણ 5 કિલો ખાતરની ચોરી થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news