Corona Update: ત્રીજી લહેરના સંકેત? દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, 24 કલાકમાં આટલા નવા દર્દીઓ નોંધાયા

વધી રહેલા કેસ ચિંતાનું કારણ બની રહ્યા છે. એક દિવસમાં 555 લોકોના કોરોનાથી મોત થયા છે. 

Corona Update: ત્રીજી લહેરના સંકેત? દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, 24 કલાકમાં આટલા નવા દર્દીઓ નોંધાયા

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 44 હજારથી વધુ કેસ નોંધાયા છે. વધી રહેલા કેસ ચિંતાનું કારણ બની રહ્યા છે. એક દિવસમાં 555 લોકોના કોરોનાથી મોત થયા છે. 

44 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 44,230 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના કેસનો આંકડો હવે 3,15,72,344 થયો છે. ગઈ કાલે દેશમાં નવા 43,509 કેસ નોંધાયા હતા. હાલ 4,05,155 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 42,360 દર્દીઓ રિકવર પણ થયા. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,07,43,972 થઈ છે. 

Total cases: 3,15,72,344
Active cases: 4,05,155
Total recoveries: 3,07,43,972
Death toll: 4,23,217

Total vaccination: 45,60,33,754 pic.twitter.com/qykDBzH7an

— ANI (@ANI) July 30, 2021

એક દિવસમાં 555 દર્દીઓના મોત
કોરોનાથી છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 555 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,23,217 પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 45,60,33,754 ડોઝ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news