LIVE: જ્ઞાનવાપીમાં 40 ટકા સર્વે પૂર્ણ, હિન્દુ પક્ષે કહ્યું- 'ધાર્યા કરતાં વધુ પુરાવા મળ્યા...'

Gyanvapi Mosque survey મસ્જિદમાં સર્વેને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને હિન્દી અને મુસ્લિમ પક્ષના લોકોની સાથે બેઠક કરી સર્વે દરમિયાન શાંતિ-વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી છે. અગાઉ જ્ઞાનવ્યાપી મસ્જિદના સર્વેનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. અંજુમન એ ઈંતેજામિયા મસ્જિદ કમિટીએ સર્વેને રોકવા માટે એક અરજી દાખલ કરી.

LIVE: જ્ઞાનવાપીમાં 40 ટકા સર્વે પૂર્ણ, હિન્દુ પક્ષે કહ્યું- 'ધાર્યા કરતાં વધુ પુરાવા મળ્યા...'

વારાણસી: આજે વારાણસીમાં જ્ઞાનવાપી સર્વે શરૂ થયો છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનું કામ આજે સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું છે. સર્વેના કામને લઈને તમામ પક્ષના લોકોની સાથે બેઠક થઈ છે અને શાંતિ વ્યવસ્થા જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. પોલીસે સુરક્ષાના કારણોસર બેરિકેડ્સ લગાવીને રાખ્યા છે અને મંદિરથી લગભગ 300 મીટર દૂર મીડિયા સહિત તમામ લોકોને રોકવામાં આવ્યા છે. જ્ઞાનવ્યાપી મસ્જિદમાં સર્વે અને વીડિયોગ્રાફીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવે સર્વે શરૂ થઈ ગયો છે.

સર્વેમાં હિન્દુ પક્ષે શું કહ્યું?
જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં પ્રથમ દિવસનો સર્વે પૂર્ણ થયા બાદ હિંદુ પક્ષે કહ્યું કે 40 ટકા સર્વે પૂર્ણ થઈ ગયો છે. કલ્પના કરતાં વધુ પુરાવા મળ્યા છે. અપેક્ષા મુજબ સર્વે સાચો છે.

જ્ઞાનવાપીમાં પહેલો દિવસનો સર્વે પુરો
જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પહેલો દિવસનો સર્વે પુરો થયો છે. પહેલા દિવસની રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહી છે. પહેલા દિવસે 3 રૂમનો સર્વે કરાયો. કાલે (રવિવાર) એકવાર ફરીથી જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે થશે.

જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં મળ્યા 5 રૂમ
જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં 5 રૂમ મળ્યા છે. સર્વે શરૂ થયાના 3 કલાકથી વધારેનો સમય પુરો થઈ ચૂક્યો છે. 3 રૂમનો સર્વે પુરો થઈ ચૂક્યો છે.

સર્વેની ટીમમાં ઝેરી જીવોનો મુકાબલો કરના વિશેષજ્ઞ ટીમ સામેલ
જ્ઞાનવાપી મસ્જિદના સર્વેની ટીમમાં ડોક્ટરોની ટીમ પણ સામેલ છે. ઝેરી જીવોનો સામનો કરવા માટે વિશેષજ્ઞની ટીમ પણ સર્વેની ટીમમાં સાથે છે. ત્રીજા ભોંયરાની સફાઈ કરવામાં આવી ચૂકી છે. 12 વાગ્યા સુધી જ્ઞાનવાપીનો સર્વે ચાલું રહેશે.

ચિદંબરમનું નિવેદન
યૂપીના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે ચાલું છે. કોંગ્રેસ નેતા પી ચિદંબરમે જણાવ્યું છે કે પૂજા સ્થાન બદલાવાથી સમાજમાં સંઘર્ષ થશે. નરસિંહ સરકારમાં અમે પૂજા સ્થળનો કાયદો લાવ્યા હતા.

જ્ઞાનવાપીના બે ભોંયરાનો સર્વે પુરો
જ્ઞાનવાપી મસ્જિદના બે ભોંયરાનો સર્વે પુરો થઈ ચૂક્યોછે. મસ્જિદની અંદરની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.

જ્ઞાનવાપી મસ્જિદના 2 ભોંયરાનો સર્વે પુરો
જ્ઞાનવાપી મસ્જિદના 2 ભોંયરાનો સર્વે પુરો થઈ ગયો છે. મસ્જિદની અંદરની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.

જ્ઞાનવાપીના એક ભોંયરાનો સર્વે પુરો
જ્ઞાનવાપી મસ્જિદના એક ભોંયરાનો સર્વે પુરો થઈ ગયો છે. સર્વે પહેલા ભોંયરાની સફાઈ કરવામાં આવી હતી. ટીમ સતત સર્વે કરી રહી છે. કાશી વિશ્વનાથ મંદિરની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

ઓવૈસીનું નિવેદન
એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ જ્ઞાનવાપી મસ્જિદના સર્વેને ગેરબંધારણીય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, આપણા દેશમાં કાયદો છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ જે મંદિર, મસ્જિદ અને ચર્ચ જેવું હતું તેવું જ રહેશે.

તમામ પક્ષકારોના મોબાઈલ ફોન પોલીસમાં જમા
તમને જણાવી દઈએ કે વારાણસીમાં તમામ પક્ષકારોના મોબાઈલ ફોનને ચોક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા છે. કાર્યવાહીની જાણકારી ગુપ્ત રાખવા માટે મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.

મસ્જિદમાં સર્વેને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને હિન્દી અને મુસ્લિમ પક્ષના લોકોની સાથે બેઠક કરી સર્વે દરમિયાન શાંતિ-વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી છે. અગાઉ જ્ઞાનવ્યાપી મસ્જિદના સર્વેનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. અંજુમન એ ઈંતેજામિયા મસ્જિદ કમિટીએ સર્વેને રોકવા માટે એક અરજી દાખલ કરી. જ્યારે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કર્યો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમન્નાએ જણાવ્યું છે કે મેં અરજી જોઈ નથી, મામલાને જોઈશ.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જ્ઞાનવ્યાપી મસ્જિદમાં સર્વે પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. કમિટીએ પોતાની SLPમાં ઈલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. 21 એપ્રિલે હાઈકોર્ટે વારાણસીની નિચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. નીચલી કોર્ટે જ્ઞાનવ્યાપી મસ્જિદમાં વીડિયો સર્વે કરાવવા માટે કોર્ટ કમિશનર નિયુક્ત કર્યા હતા. હાઈકોર્ટે મસ્જિદ કમિટીની અરજીને નકારી દીધી હતી. હવે કમિટીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news