હૈદરાબાદઃ હિચકારી ઘટના પછી રહી-રહીને પોલીસને લાદ્યું જ્ઞાન, જાહેર કરી એડવાઈઝરી

હૈદરાબાદની(Hyderabad) ઘટના પછી સમગ્ર દેશમાં સડકથી લઈને સંસદ(Road to Parliament) સુધી રોષ જોવા મળી રહ્યો છે. લોકો કેન્ડલ માર્ચ(Candle March) કાઢીને યુવતીના હત્યારાઓને તાત્કાલિક સજા આપવાની માગણી કરી રહ્યા છે અને સાથે જ દેશમાં મહિલા સુરક્ષા-સલામતી(Women Safety and Security) મુદ્દે તંત્રની નિષ્ફળતા સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.

હૈદરાબાદઃ હિચકારી ઘટના પછી રહી-રહીને પોલીસને લાદ્યું જ્ઞાન, જાહેર કરી એડવાઈઝરી

હૈદરાબાદઃ વેટરનરી ડોક્ટરના(Veterinary doctor) બળાત્કાર અને હત્યાની (Rape and Murder) ઘટના પછી શહેર અને દેશમાં જે પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે ત્યાર પછી હૈદરાબાદ પોલીસને(Hydrabad Police) મોડે-મોડો જ્ઞાન લાદ્યું છે. હૈદરાબાદ પોલીસે મુસાફરી કરતા સમયે મહિલાઓ અને યુવતીઓ માટે સ્વસુરક્ષાનાં કેવા-કેવા પગલાં(Precautionary Steps) લેવા જોઈએ તેના અંગે એક એડવાઈઝરી(Advisory) બહાર પાડી છે. 

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદના આઉટર રિંગરોડ પર શમશાબાદ ટોલનાકા પાસે 26 વર્ષની એક યુવતી પર બે ટ્રક ડ્રાઈવર અને બે ક્લીનરે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર પછી તેની હત્યા કરીને તેના મૃતદેહને તોઓ શાનદગર સુધી લઈ ગયા હતા અને અહીં સળગાવી નાખ્યો હતો. હત્યાની હિચકારી ઘટના પછી બીજા દિવસે આ યુવતીનો મૃતદેહ સળગી ગયેલી અવસ્થામાં મળ્યો હતો. 

આ ઘટના પછી સમગ્ર દેશમાં સડકથી લઈને સંસદ સુધી રોષ જોવા મળી રહ્યો છે. લોકો કેન્ડલ માર્ચ કાઢીને યુવતીના હત્યારાઓને તાત્કાલિક સજા આપવાની માગણી કરી રહ્યા છે અને સાથે જ દેશમાં મહિલા સુરક્ષા-સલામતી મુદ્દે તંત્રની નિષ્ફળતા સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. મંગળવારે લોકસભા અને રાજ્યસભામાં પણ આ મુદ્દે ભારે ચર્ચા થઈ હતી અને સાંસદોએ ઘટના પર ખેદ વ્યક્ત કરવાની સાથે જ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતા અને વરિષ્ઠ બોલિવૂડ અભિનેત્રી જયા બચ્ચને તો ત્યાં સુધી કહી નાખ્યું કે, "આ બળાત્કારીઓને જાહેરમાં લાવવા જોઈએ અને તેમનું લિન્ચિંગ કરવું જોઈએ."

હૈદરાબાદ પોલીસે જાહેર કરેલા મહિલાઓ માટે સ્વસુરક્ષાના પગલાં:-
1. મુસાફરી કરતા સમયે તમારા પરિવાર/સ્વજન/મિત્રોને જણાવો કે ક્યાં જઈ રહ્યા છો અને ક્યારે પાછા આવશે. 

2. જો શક્ય હોય તો અંતિમ લોકેશન જરૂર શેર કરો. 

3. કયા સાધનમાં મુસાફરી કરી રહ્યા છો - રિક્ષા અતવા ટેક્સી. વાહનની નંબર પ્લેટનો ફોટો, સંપર્ક માહિતી પરિજનોને શેર કરો. (રીક્ષા ડ્રાઈવરની પાછળની સીટ પર લખેલું હોય છે, ટેક્સી ડ્રાઈવરનું આઈડી કાર્ડ ઉપલબ્ધ હોય છે.)

‘શું મહિલા સશક્તિકરણ આપણી પ્રાથમિકતા નથી?’: ADG અનિલ પ્રથમ... જુઓ વીડિયો....

4. જો કોઈ અજાણ્યા સ્થળે જતા હોવ ત્યારે ત્યાં આવવા-જવાના રસ્તાની પુરતી માહિતી મેળવી લેવી. 

5. હંમેશાં ગીચ વસતી હોય એવી જગ્યાએ જ રાહ જોવા માટે ઊભા રહો. તમે જ્યાં ઊભા રહો ત્યાં પુરતી પ્રકાશ વ્યવસ્થા હોવી જોઈએ. કોઈ એકાંત વિસ્તારમાં ક્યારેય પણ એકલા ઊભા રહેવું નહીં. પોલીસ પેટ્રોલ કારને કોલ કરવા માટે ક્યારેય પણ ખચકાવ નહીં અથવા તો જે-તે વિસ્તારમાં મોટરસાઈકલ પર પેટ્રોલિંગ કરતી બ્લ્યુ કોલ્ટ પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવો. તેઓ તમારી સલામતી અને સુરક્ષા માટે તૈનાત હોય છે. 

6. તમે જે વિસ્તારમાં હોવ ત્યાં આજુ-બાજુમાં કોઈ વ્યક્તિ દેખાતી ન હોય તો તમે તાત્કાલિક નજીકમાં રહેલી કોઈ દુકાન, કોમર્શિયલ એકમ પાસે જતા રહો અને ત્યાં દુકાનની નજીકમાં જ ઊભા રહેવું., જેથી ત્યાંથી પરિવહન કરતા ટ્રાફિકની તમારા પર નજર રહે. 

7. હંમેશાં 100 નંબર ડાયલ કરવા માટે તૈયાર રહો. 

8. હોકઆઈ ડાઉનલોડ કરો અને લોકેશન સેવા કાયમ માટે ચાલુ રાખો. 

9. શંકાસ્પદ સંજોગોમાં સાથી મુસાફરો પાસેથી મદદ માગો. 

10. જો તમે જે વિસ્તારમાં હોવ ત્યાં કોઈ મુસાફર ન હોય કે કોઈ રાહદારીની આવન-જાવન ન હોય તો તમારા પરિચિત સાથે ફોન પર વાત કરતા હોવ એવી રીતે એક્ટિંગ કરો અને પોલીસને ફોન પર તમે જે સ્થળે હોવ ત્યાંની વિગતો, ત્યાંથી પસાર થતા વાહનો અને આજુ-બાજુના લોકોની માહિતી જણાવો. તેનાથી તમે સામેની વ્યક્તિને છેતરવામાં સફળ થશો. 

11. તમે જ્યારે કોઈ એકાંત વિસ્તારમાં હોવ ત્યારે આત્મવિશ્વાસ જાળવી રાખો અને મોટે-મોટેથી વાત કરો. જો જરૂર પડે તો મદદ માટે જોર-જોરથી બૂમો પાડો. 

12. જો તમને કોઈ જ મદદનો અણસાર દેખાતો નથી એવી સ્થિતિમાં જોરથી બૂમો પાડો અને બૂમો પાડતા-પાડતા ગીચ વસતી ધરાવતા વિસ્તાર તરફ દોડો. 

13. પોલીસ ગુનાખોરી અટકાવવા માટે હંમેશાં તમારી સાથે જ છે. સ્થાનિક અસામાજિક તત્વો અને આવા તત્વોની બેઠકો બાબતે સ્થાનિક પોલીસને તાત્કાલિક જાણ કરો. 

14. જો તમે ચકાસણી માટે કેટલાક ફોટો મેળવવા માગતા હોવ તો તમે વ્હોટ્સએપ નંબર 9490616555 પર ફોટા શેર કરો અને તમારી સુરક્ષાને પાકી કરો. 

દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, મહિલાઓ સામેની હિંસા રોકવા માટે નવો કાયદાની જરૂર નથી, પરંતુ રાજકીય ઈચ્છાશક્તિ, વહીવટી કુશળતા, લોકોની માનસિક્તામાં સુધારો લાવવાની જરૂર છે. તો અને તો જ આપણે આ સામાજિક દૈત્યનો નાશ કરી શકીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news