બચાવ પક્ષના વકીલે કહ્યું Zee News ન હોત તો કદાચ ક્યારે પણ સત્ય સામે ન આવત !

વકીલ એચએસ પઠાણીયાએ કહ્યું કે, જો Zee News ના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીએ પોતાનાં શો ડીએનએમાં એટીએમ ફુટેજ ન દેખાડ્યા હોત તો કદાચ સત્ય વિશ્વની સમક્ષ આવી શક્યું હોત

બચાવ પક્ષના વકીલે કહ્યું Zee News ન હોત તો કદાચ ક્યારે પણ સત્ય સામે ન આવત !

નવી દિલ્હી : કઠુવા રેપ - મર્ડર કેસમાં આરોપી રહેલા વિશાળ જંગોત્રાના વકીલ વિક્રાંત મહાજન અને એચએસ પઠાણીયાએ જી ન્યુઝ (ZEE NEWS) ના શો DNAનો આભાર વ્યક્ત કર્યો હતો. વકીલ એચ એશ પઠાણીયાએ કહ્યું કે, જો ZEE NEWS ના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી પોતાનાં શો ડીએનએમાં એનટીએમનો ફુટેજ સામે ન લાવ્યા હોત તો કદાચ સત્ય વિશ્વની સામે ક્યારે પણ ન આવ્યું હોત. તેમણે કહ્યું કે, ZEE NEWS દ્વારા સામે લાવવામાં આવેલા આ ફુટેજે સમગ્ર કેસની દિશા જ બદલી નાખી. 

કઠુવા રેપ કેસ : કોર્ટે Zee News ના કર્યા વખાણ, કહ્યું ચેનલે સત્ય સામે લાવવા કર્યો પ્રયાસ
વિશાલ જંગોત્રાના વકીલ વિક્રાંત મહાજને જી ન્યૂઝ ZEE NEWS સાથે વાતચીતમાં કહ્યું કે, આ મુત્તે તપાસ કરી રહેલ પોલીસ ટીમે બેંક અને કોલેજથી ડીવીઆર પ્રાપ્ત કર્યા બાદ કોર્ટને નિવેદન આપ્યું હતું કે, તમામ ડીવીઆર ખાલી છે. બીજી તરફ જી ન્યુઝ (ZEE NEWS) નાં એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીએ પોતાનાં શો ડીએનએનાં તે જ ડીવીઆરથી ન માત્ર એટીએમની ફુટેજ પ્રાપ્ત કર્યા, પરંતુ વિશ્વ સામે આ કેસ સાથે જોડાયેલા સત્યને જાહેર કર્યું. 

કઠુવાકાંડ: 6 ગુનેગારોમાં કોણે કેવો ગુનો આચર્યો અને શું મળી સજા ?
વિશાલ જંગોત્રાનાં બીજા વકીલ એચ.એસ પઠાણીયાએ જી ન્યૂઝ (ZEE NEWS) સાથે વાતચીતમાં કહ્યું કે, કેસમાં (ZEE NEWS) ની ભુમિકા સૌથી પ્રશંસનીય છે. જી ન્યુઝે ન માત્ર પુરાવા તરીકે આ વીડિયો આપવામાં આવ્યો, પરંતુ પોતે કોર્ટમાં આવીને પણ જુબાની આપી હતી. તેમણે કહ્યું કે, શરૂઆતમાં આ મુદ્દે તપાસ કરી રહ્યા પોલીસે અકારણ વિશાળ જંગોત્રાને આ મુદ્દે આરોપી બનાવ્યો હતો. પરંતુ કોલેજ તંત્ર પર આ નિવેદન આપવાનો દબાણ પણ નાખવામાં આવ્યો કે વિશાળ કોલેજના પરીક્ષણમાં જોડાયા નહોતા. 

બંગાળ હિંસા: ગવર્નર ત્રિપાઠીએ મોદી-શાહ સાથે કરી મુલાકાત, મમતાની બેચેની વધી
વિશાલ જંગોત્રાનાં આ બીજા વકીલ એચ.એસ પઠાણીયાએ ઝી ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યું કે, આપણે ઝી ન્યુઝનાં શો ડીએનએનાં વખાણ કરતા તેમની મદદથી વિશાલ જંગોત્રાને આ કેસમાંથી છોડાવી શક્યા છે. આ કેસની સુનવણી દરમિયાન ઝી ન્યુઝ દ્વારા આપવામાં આવેલ સીસીટીવી ફુટેજ ખુબ જ મદદગાર સાબિત થયો.  તેમણે કહ્યું કે, સતત આ જ સાબિત કરવાનાં પ્રયાસ કરતા રહ્યા હતા કે વિશાલ દુર્ઘટનાનાં દિવસે મેરઠમાં પોતાની પરિક્ષા આપી રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news