દેશના રાજદ્વારીઓને વારંવાર હેરાન કરવા અંગે ભારતે પાકિસ્તાનને ફટકારી નોટીસ

ભારતે 48 કલાકના સમયગાળામાં આ બીજી વખત પાકિસ્તાનને નોટિસ ફટકારી છે 

દેશના રાજદ્વારીઓને વારંવાર હેરાન કરવા અંગે ભારતે પાકિસ્તાનને ફટકારી નોટીસ

નવી દિલ્હીઃ ભારતે બુધવારે પાકિસ્તાનને બીજી વખત 'નોટ વર્બલ' નોટીસ ફટકારતા જણાવ્યું છે કે, તેની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઈસ્લામાબાદમાં ભારતીય રાજદ્વારીઓને હેરાન-પેરાશન કરવાનું હજુ પણ ચાલુ છે. સાથે જ ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને આ ઘટનામાં હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે. ભારતે 48 કલાકના સમયગાળામાં આ બીજી વખત પાકિસ્તાનને નોટિસ ફટકારી છે. 

'નોટ વર્બલ' નોટિસ એટલે શું? 
'નોટ વર્બલ' એક રાજદ્વારી નોટ હોય છે, જે કોઈ પત્ર કરતાં વધુ મહત્વનો હોય છે, પરંતુ એક ઔપચારિક નોંધ કરતાં તેનું મહત્વ ઓછું હોય છે. તેના પર કોઈના હસ્તાક્ષર કરેલા હોતા નથી. 

— ANI (@ANI) March 20, 2019

ભારતે બીજી નોટિસમાં જણાવ્યું છે કે, ભારતીય રાજદ્વારીઓના પરિજનોની હેરાનગતીની ઘટના એ વિયેના સંધીનું પણ ઉલ્લંઘન છે. આ અગાઉ સોમવારે પણ દેશના રાજદ્વારીઓની હેરાનગતી અંગે પાકિસ્તાનને 'નોટ વર્બલ' નોટિસ ફટકારી હતી, જેમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને આ મામલે હસ્તક્ષેપ કરવા જણાવાયું હતું. જોકે, તેના દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ ન હોવાથી બીજા દિવસે ફરીથી નોટિસ ફટકારી છે. 

આ નોટિસ મુજબ, ભારતે માર્ચ મહિનામાં થયેલી હેરાનગતિની 13 ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. પાકિસ્તાનને આ પ્રકારની ઘટનાઓ બંધ કરવા માટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે અને સાથે જ સમગ્ર ઘટનાની વિસ્તૃત તપાસ કરવા પણ જણાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news