કર્ણાટક Live: આખી રાત વિધાનસભામાં રોકાયા ભાજપ ધારાસભ્ય, આજે થશે ફ્લોર ટેસ્ટ

કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસની સરકાર રહેશ અથવા જશે, તેના પર બધાની નજર રહેલી છે. આ વચ્ચે સત્તા હાંસલ કરવાનું ‘નાટક’ રાજ્યમાં વધી રહ્યું છે. વિધાનસભા સ્પીકરે પહેલા વિશ્વાસમત હાંસલ કરવા માટે ગુરૂવારનો દિવસ નક્કી કર્યો, પરંતુ સાંજ થતા જ સદનને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી. તેના પર ભાજપ ભડક્યું છે.

કર્ણાટક Live: આખી રાત વિધાનસભામાં રોકાયા ભાજપ ધારાસભ્ય, આજે થશે ફ્લોર ટેસ્ટ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસની સરકાર રહેશ અથવા જશે, તેના પર બધાની નજર રહેલી છે. આ વચ્ચે સત્તા હાંસલ કરવાનું ‘નાટક’ રાજ્યમાં વધી રહ્યું છે. વિધાનસભા સ્પીકરે પહેલા વિશ્વાસમત હાંસલ કરવા માટે ગુરૂવારનો દિવસ નક્કી કર્યો, પરંતુ સાંજ થતા જ સદનને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી. તેના પર ભાજપ ભડક્યું છે. તેમણે માગ કરી છે કે ફ્લોર ટેસ્ટ ગુરૂવારના જ કરવામાં આવે. રાજ્યપાલે સ્પીકરને કહ્યું હતું કે, તેઓ ગુરૂવારના જ વિશ્વાસમત હાંસલ કરવા પર વિચાર કરે. પરંતુ સ્પીકરે સદન એક દિવસ સ્થગિત કરવા કહ્યું.

— ANI (@ANI) July 18, 2019

કર્ણાટકમાં વધાત રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ વજૂભાઇ વાળાએ હવે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પત્ર લખી કહ્યું છે કે, તેઓ શુક્રવાર બપોર 1.30 વાગ્યે તેમની બહુમત સાબિત કરે. તેના પર રાજ્યપાલે વિધાનસભા સ્પીકરથી આગ્રહ કર્યો હતો કે તેઓ ગુરૂવારે જ ફ્લોર ટેસ્ટ પર વિચાર કરે. પરંતુ સ્પીકરે સદન એક દિવસ માટે સ્થગિત કરી હતી.

— ANI (@ANI) July 18, 2019

ત્યારબાદ ભાજપે તેમના ધારાસભ્યો સાથે વિધાનસભામાં જ ઘરણા આપવાના શરૂ કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ તેમના તમામ સાથી ધારાસભ્યોની સાથે ફ્લોર પર સુતા જોવા મળ્યા હતા.

— ANI (@ANI) July 18, 2019

ભાજપના ધારાસભ્યોએ તેમના ધરણા વિધાનસભામાં શરૂ પણ કર્યા છે. ભાજપ ધારાસભ્યો અને વિપક્ષના નેતા બીએશ યેદિયુરપ્પાએ કોંગ્રેસ ધારાસભ્ય ડીકે શિવકુમાર અને એચએસ પાટિલે વાત કરી છે. જો કે, આ મુલાકાત બાદ કોઇ પરિણામ સામે આવ્યું નથી. કર્ણાટક ભાજપના ધારાસભ્ય વિધાનસભામાં જ સુઇ ગયા હતા.

— ANI (@ANI) July 18, 2019

ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું, અમારી માગ માત્ર એટલી જ છે કે આજે જ ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવે. પરંતુ મુખ્યમંત્રી તેના માટે તૈયાર નથી. આ સદન અને લોકોનો વિશ્વાસ ગુમાવી ચુક્યા છે. તેમની પાસે માત્ર 98 ધારાસભ્ય છે અમારી પાસે 105 સભ્યો છે.

— ANI (@ANI) July 18, 2019

ખરેખર નંબર ગેમના કારણે કોંગ્રેસ અને જેડીએસની સરકાર ઇચ્છે છે કે, ગુરૂવારના સદનમાં ફ્લોર ટેસ્ટ ના થાય. ત્યાં જ ભાજપે સ્પષ્ટ કર્યું છે કે સદનમાં વિશ્વાસમત આજે જ હાંસલ કરવો જોઇએ. તેના માટે ભાજપ ધારાસભ્યોએ રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ રાજ્યપાલે સ્પીકરને કહ્યું કે તેઓ આજે વિશ્વાસમત પર વિચાર કરે.

— ANI (@ANI) July 18, 2019

તેના પર કોંગ્રેસ ધારાસભ્યોએ ફરીથી વિધાનસભામાં હંગામો શરૂ કર્યો છે. તેમણે હાથમાં પ્લે કાર્ડ લઇને વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, ભાજપે તેમના ધારાસભ્યોનું અપહરણ કર્યું છે. ત્યારે મુંબઇમાં ભરતી કોંગ્રેસ ધારાસભ્ય શ્રીમંત પાટલિની તરવીરો પણ લહેરાવતા જોવા મળ્યા.

— ANI (@ANI) July 18, 2019

બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય એચ.કે પાટિલે સદનમાં કહ્યું કે, રાજ્યપાલની સલાહ અંગે કહ્યું કે, રાજ્યપાલ સદનની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરી શકે નહી. સદનની કાર્યવાહી સંવિધાન અનુસાર ચાલશે. હું રાજ્યપાલને કહેવા માંગુ છું કે તેઓ સદનની કાર્યવાહીમાં હસ્તક્ષેપ ન કરે.

— ANI (@ANI) July 18, 2019

વિધાનસભામાં ભાજપનાં નેતા અને પૂર્વમુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાએ કહ્યું કે, જો રાત્રે 12 વાગ્યા સુધી ચર્ચા ચાલે તો ત્યાર બાદ પણ ફ્લોર ટેસ્ટ આજે જ થવો જોઇએ. કોંગ્રેસ અને જેડીએસની સરકાર આજે સદનમાં ફ્લોર ટેસ્ટથી પાછી હટી રહી છે. તેમની પાસે પુરતુ સંખ્યાબળ નથી.

જુઓ Live TV:- 

ગુરૂવારે વિશ્વાસ મત પર વિધાનસક્ષામાં ચર્ચા ચાલુ થઇ, પરંતુ કોંગ્રેસ અને જેડીએસ બંન્ને જ મતદાન કરાવવાથી પાછા હટી રહ્યા છે. ચર્ચા દરમિયાન પોતાની વાત રાખવા સમય સદનમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટનો આદેશ લાગુ થાય છે તો ફરી અમારી વ્હિપ કામમાં આવી શકે છે, તો બંને તરફથી અમારી સરકાર પર સંકટ બરાબર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news