Video: આ એ જ મંદિર છે જ્યાં માતા સીતાનું અપહરણ કરનાર રાવણે જટાયુને ગંભીર ઇજા પહોંચાડી હતી

Narendra Modi Virbhadra Mandir Visit:  રામાયણ સાથે જોડાયેલી છે આ મંદિરની કથા. એવી પણ માન્યતા છેકે, અહીં જ ભગવાન રામે જટાયુને આપ્યો હતો મોક્ષ,,,,એ રહસ્યમયી મંદિર જ્યાં હવામાં લટકે છે ભારે સ્તંભ, PM મોદીએ લીધી મુલાકાત. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો....

Video: આ એ જ મંદિર છે જ્યાં માતા સીતાનું અપહરણ કરનાર રાવણે જટાયુને ગંભીર ઇજા પહોંચાડી હતી

Narendra Modi Virbhadra Mandir Visit: હાલ દેશભરમાં રામ નામની ગૂંજ સંભળાઈ રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો કોઈકને કોઈક અનમોલ ભેટ સોગાતો લઈને અયોધ્યા પહોંચી રહ્યાં છે. સમગ્ર ભારતમાં હાલ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે. મંદિરમાં રામલલ્લાને બિરાજમાન કરવાને લઈને કરોડો ભક્તોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. ત્યારે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઠીક પહેલાં ભારતના પ્રધાનમંત્રી મોદીએ એક રહસ્ય મંદિરની મુલાકાત લઈને ત્યાંના દર્શન કર્યાં. હાલ તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 
 

— ANI (@ANI) January 16, 2024

 

ઉલ્લેખનીય છેકે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી કેરળ અને આંધ્રપ્રદેશના બે દિવસીય પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન, પીએમ 4,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન પીએમ મોદી લેપાક્ષીમાં વીરભદ્ર મંદિર પહોંચ્યા અને પૂજા કરી. આજે અમે તમને લેપાક્ષીના વીરભદ્ર મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને તમને એ પણ જણાવીશું કે આ મંદિરને આટલું ખાસ કેમ માનવામાં આવે છે.

હેંગિંગ પિલર ટેમ્પલ નામ આપવામાં આવ્યું છે-
લેપાક્ષી, આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના એક નાનકડા ઐતિહાસિક ગામ, વીરભદ્ર સ્વામીને સમર્પિત મંદિર છે. આ મંદિરને હેંગિંગ પિલર ટેમ્પલ પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં આ મંદિરમાં કુલ 70 સ્તંભો છે અને તેમાંથી એક પણ સ્તંભ જમીન સાથે જોડાયેલો નથી. આ સ્તંભને આકાશ સ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે.

શું છે લટકતા થાંભલાનું રહસ્ય?
આકાશ સ્તંભ જમીનથી અડધો ઇંચ જેટલો ઊંચો છે. એવું માનવામાં આવે છે કે હવામાં લટકતા આ થાંભલાની નીચેથી કપડું હટાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. થાંભલો હવામાં લટકી રહ્યો છે તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જો કે લોકોનું માનવું છે કે અંગ્રેજોના જમાનામાં એક એન્જીનીયરે રહસ્ય જાણવા માટે થાંભલાને ખસેડ્યો હતો, ત્યારપછી પણ આ થાંભલો હવામાં લટકી રહ્યો છે.

કુર્મસીલમની પહાડીઓ પર બનેલ છે આ મંદિર-
લેપાક્ષીનું આ મંદિર કુર્મસીલમની પહાડીઓ પર બનેલું છે અને કાચબાના આકારમાં છે. પૌરાણિક કથાઓ અનુસાર આ મંદિરનું નિર્માણ અગસ્ત્ય ઋષિએ કરાવ્યું હતું. એવું પણ કહેવાય છે કે આ મંદિર 16મી સદીમાં વિરુપન્ના અને વિરન્ના નામના બે ભાઈઓએ બનાવ્યું હતું. આ બંને ભાઈઓ વિજયનગરના રાજા માટે કામ કરતા હતા.

રામાયણમાં પણ છે આ મંદિરનો ઉલ્લેખ- 
આ મંદિરનું નામ રામાયણમાં પણ છે. એવું માનવામાં આવે છે કે આ એ જ મંદિર છે જ્યાં માતા સીતાનું અપહરણ કરનાર રાવણે જટાયુને ગંભીર ઇજા પહોંચાડી હતી અને તે પડી ગયો હતો.

મંદિરમાં છે એક મોટી પગની નિશાની-
જટાયુએ જ ભગવાન રામને કહ્યું હતું કે રાવણ માતા સીતાને દક્ષિણ તરફ લઈ ગયો હતો. આ પછી ભગવાન રામે તેમને મોક્ષ આપ્યો હતો. મંદિરમાં એક મોટી પગની નિશાની પણ છે, જેને કેટલાક ભગવાન રામના પગના નિશાન માને છે તો કેટલાક તેને માતા સીતાના પગના નિશાન માને છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news